Western Times News

Gujarati News

યુક્રેનઃ ૭ વર્ષની પૌત્રીને આંખો સામે તડપી-તડપીને મરતી જાેઈને દાદા પણ કંઈ ન કરી શક્યા

નવીદિલ્હી, યુધ્ધમાં ૭ વર્ષની એલિસા હલન્સની જેનું રશિયન બોમ્બ ધડાકામાં મૃત્યુ થયું હતું. યુક્રેનમાં એવા ઘણા બાળકો છે જેઓ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે.

૮ માર્ચે ચાલી રહેલા રશિયન-યુક્રેન યુદ્ધનો ૧૩મો દિવસ છે. યુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧.૫ મિલિયનથી વધુ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે, જેમાં હજારો પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા અને અન્ય સ્થળોએ પહોંચ્યા છે.

યુએન અનુસાર, પોલેન્ડે ૧,૦૨૮,૦૦૦ શરણાર્થીઓને લીધા છે. હંગેરીએ ૧૮૦,૦૦૦, મોલ્ડોવા ૮૩,૦૦૦, સ્લોવાકિયા ૧૨૮,૦૦૦, રોમાનિયા ૭૯,૦૦૦, રશિયા ૫૩,૦૦૦, બેલારુસ ૪૦૬ શરણાર્થીઓને આશ્રય આપ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે યુરોપમાં ૧૮૩,૦૦૦ થી વધુ લોકો આ દેશોમાંથી સ્થળાંતર કરી ચુક્યા છે. રશિયન સેના દ્વારા યુક્રેનના રહેણાંક વિસ્તારો પર હુમલા બાદ સમગ્ર દેશને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. શરણાર્થીઓ માટે યુએન હાઈ કમિશનર, ફિલિપો ગ્રાન્ડીએ ટિ્‌વટ કર્યું કે ૧૦ દિવસમાં લગભગ ૧.૫ મિલિયન શરણાર્થીઓએ પાડોશી દેશોમાં આશ્રય લીધો છે. બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં આ સૌથી મોટી હિજરત છે. યુએનને ડર છે કે ૪ મિલિયનથી વધુ લોકો યુદ્ધથી બચવા માટે યુક્રેન છોડી શકે છે.

એલિસા હલન્સનીનું યુક્રેનની એક સ્કૂલ પર ક્લસ્ટર બોમ્બ હુમલામાં મોત થયું હતું. તેના દાદાએ એલિસાને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિનની ઉદ્ધત સેના પર ઈરાદાપૂર્વક બાળકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી કિવમાં ચાલી રહેલા યુદ્ધને કારણે લોકો ઉત્તરના શહેરોમાંથી બહાર ભાગવા લાગ્યા છે. આ મહિલા છે તાતિયાના બોગાટોવા. તે તેની ૧૮ મહિનાની પુત્રીને ૨૦ કિમી ચાલીને રાજધાનીથી દૂર લઈ ગઈ હતી.

યુદ્ધમાં, એકલા યુક્રેનને રસ્તાઓ, પુલ, રેલ્વે, સાધનો અને એરપોર્ટ જેવા માળખાકીય સુવિધાઓના પરિવહન માટે ૧૦ અબજ ડોલરનું નુકસાન થયું છે. જાે તે આજથી તેને ફરીથી બનાવવાનું શરૂ કરે તો લગભગ ૨ વર્ષ લાગશે. હાલમાં યુક્રેનમાં આવી હ્રદયદ્રાવક તસવીરો સામે આવી રહી છે. જીવ બચાવવા ભાગી રહેલા યુક્રેનિયનો રસ્તાની વચ્ચે જ ગોળીબારનો શિકાર બની રહ્યા છે. તેમના મૃતદેહ રસ્તા પર પડ્યા છે. આ ફોટો ન્યૂયોર્ક ટાઈમ્સના ફોટોગ્રાફરે લીધો છે.

રશિયન સૈનિકોએ ઝાયટોમીર પ્રદેશના વિયાઝીવકા ગામમાં ૧૯મી સદીના લાકડાના ચર્ચ, રાષ્ટ્રીય મહત્વના સ્થાપત્ય સ્મારકનો નાશ કર્યો. ૭ માર્ચ, ૨૦૨૨ ની રાત્રે, રશિયન દળોએ ઝાયટોમીર પ્રદેશમાં કોરોસ્ટેન, ઓવરુચ અને માલિન જેવા શહેરો પર ગોળીબાર કર્યો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.