યુક્રેનનો દાવો- અત્યાર સુધીમાં ૧૪,૭૦૦ રશિયન સૈનિકો ઠાર માર્યા, ૯૬ વિમાનો નષ્ટ કર્યા

કીવ, યુક્રેનના વિદેશ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે તેણે યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં ૧૪,૭૦૦ થી વધુ રશિયન સશસ્ત્ર સૈનિકોને મારી નાખ્યા છે. ૨૦ માર્ચ સુધીમાં ટિ્વટર પર કથિત આંકડાઓ પોસ્ટ કરીને મંત્રાલયે દાવો કર્યો હતો કે યુક્રેનિયન સૈનિકોએ રશિયન બાજુ પર લડતા ૧૪,૭૦૦ સૈનિકો ઉપરાંત ૧,૪૮૭ સશસ્ત્ર વાહનો, ૯૬ વિમાન, ૨૩૦ ટેન્ક અને ૯૪૭ વાહનોનો નાશ કર્યો હતો.
દરમિયાન સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે રશિયાના વિનાશક હુમલાના કારણે યુક્રેનમાં ૧૦ મિલિયનથી વધુ લોકો તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર, ઓલેકસી એરેસ્ટોવિચે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો કે યુક્રેનમાં રશિયાના દળો આગળ વધવામાં અસમર્થ છે કારણ કે તે સખત લડાઈનો સામનો કરી રહ્યું છે. રશિયન સૈનિકોની હિંમત જવાબ આપવા લાગી છે. રશિયન સૈનિકો રોકેટ હુમલા કરવા પણ સક્ષમ નથી. છેલ્લા ઘણા દિવસોમાં યુક્રેનના શહેરો પર એક પણ રોકેટ હુમલો થયો નથી.
યુક્રેનનું કહેવું છે કે આનાથી પરેશાન થઈને રશિયાએ હવે તેની અત્યાધુનિક કિંજેલ હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ શરૂ કરી દીધો છે. છેલ્લા ત્રણ દિવસમાં કિંજલ પર બે હુમલાઓ થયા છે.
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલિયાકે ટિ્વટર પર જણાવ્યું હતું કે રશિયા હવે શાંતિપૂર્ણ શહેરોને નષ્ટ કરવા માટે કિંજલ અને બાસ્ટિયન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. કિંજલ તરફથી તાજેતરનો હુમલો માયકોલાઈવ શહેરમાં કરવામાં આવ્યો હતો, જ્યાં મિસાઈલ ઈંધણના ડેપો પર છોડવામાં આવી હતી.
આ દરમિયાન મેરીયુપોલ સિટી કાઉન્સિલે દાવો કર્યો છે કે રશિયન સૈનિકોએ છેલ્લા અઠવાડિયામાં હજારો લોકોને બળજબરીથી સરહદ પાર કરીને શહેરમાં ખસેડ્યા છે. રશિયન સૈનિકો મારિયોપોલને કબજે કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તેમને સફળતા મળી રહી નથી.
અહીં યુદ્ધને બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. જેના કારણે ૪ લાખની વસ્તી ધરાવતા મેરીયુપોલમાં અનેક લોકો ફસાયા છે. રશિયા મેરીયુપોલ માટે પણ સખત મહેનત કરી રહ્યું છે કારણ કે તેનો કબજાે તેને ક્રિમીઆ માટે લેન્ડ કોરિડોર બનાવવામાં મદદ કરશે, જે તેણે ૨૦૧૪ માં કબજે કર્યું હતું.HS