યુનિવર્સિટીની ભૂલ છતાં સુધારેલ માર્કશીટ મેળવવા વિદ્યાર્થીઓ પાસે રૂપિયા માંગતા NSUI દ્વારા વિરોધ.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચમાં યુનિવર્સીટીની ભુલ છતાં સુધારેલ માર્કશીટ મેળવવા વિદ્યાર્થીઓ પાસે રૂપિયા માંગતા NSUI એ વિરોધ સાથે સુધારેલ માર્કશીટ કોઇપણ રૂપિયા વિના આપવાની માંગ સાથે આવેદન આપ્યું હતું.
જેમાં ઉલ્લેખાયા મુજબ F.Y Bsc માં કોવિડ ૧૯ ના કારણે માસ પ્રમોશન મળ્યું હતું એ આધારે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને આગળ અભ્યાસ કરી Bsc પૂર્ણ કર્યું.પરંતુ જ્યારે છેલ્લી માર્કશીટ આવી એની અંદર AtKt અને SGPA, cancel stratificat નો ઉલ્લેખ કરવામાં આવેલ છે.જે યુનિવર્સિટીની ભૂલ છે તેમ છતાં યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પાડી સુધારેલ માર્કશીટ ફરી મેળવવી હોય તો અરજી સાથે ફી ભરી માર્કશીટ મેળવવાનો જણાવેલ છે
તેમાં પણ યુનિવર્સિટી દ્વારા ધમાકા ઓફર આપવામાં આવેલ છે.જો માર્કશીટ તાત્કાલિક જોઈતી હોય ૩૦૦૦, પંદર દિવસમાં જોઈતી હોય ૧૫૦૦ અને મહિનાની અંદર માર્કશીટ જોઈતી હોય તો ૫૦૦ રૂપિયાની રકમ ભરવાનું જણાવેલ છે.યુનિવર્સિટીની ભૂલ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ પાસે આ રીતની પૈસાની ઉઘરાણી કરવી કે કેટલું યોગ્ય? યુનિવર્સિટીનું વહીવટી તંત્ર ખાડે ગયેલું છે
વિદ્યાર્થીઓના હિતમાં ભરૂચ જિલ્લા NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા જેપી કોલેજના પ્રિન્સિપાલ, યુનિવર્સિટીના સેનેટ સભ્ય એન એમ પટેલને સંબોધી આવેદન પત્ર આપવામાં આવેલું છે અને વિદ્યાર્થીઓને જલદીમાં જલદી સુધારેલી માર્કશીટ પૈસા ભર્યા વગર મળી રહે એજ એનએસયુઆઇ દ્વારા માંગ કરવામાં આવી હતી.