યુપીના દેવબંદમાં એટીએસ કમાન્ડો સેન્ટર બનાવાશે
લખનૌ, યુપીના દેવબંદમાં યોગી સરકારે એક એટીએસ કમાન્ડો સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે. સરકારે આ માટે તારોતાર ૨૦૦૦ ચોરસ મીટર જમીન એલોટ કરી છે. દેવબંદમાં સેન્ટર બનાવવાનુ કામ ઝડપથી શરૂ પણ કરી દેવાયુ છે. હાલની સ્થિતિ અને પડકારોને જાેતા આ ર્નિણય કર્યો હોવાનુ સરકાર કહી રહી છે. જાણકારી પ્રમાણે રાજ્યના દોઢ ડઝન ધુરંધર એટીએસ ઓફિસરોની અહીંયા તૈનાતી કરવામાં આવશે. ભાજપના પ્રવક્તા અને સીએમ યોગીના સલાહકારે પોતાના ટિ્વટમાં કહ્યુ હતુ કે, તાલિબાનની જંગાલિયત વચ્ચે યુપીમાં સરકારના ર્નિણય પર ધ્યાન આપવા જેવુ છે.
દેવબંદમાં એટીએસ કમાન્ડો સેન્ટર ખોલવાનો ર્નિણય લેવાયો છે અને તેના પર કામ ચાલુ થઈ ગયુ છે. આખા રાજ્યમાંથી શ્રેષ્ઠ એટીએસ ઓફિસરોને પસંદ કરીને અહીંયા તૈનાત કરવામાં આવનાર છે. જેઓ અહીંયા બીજા કમાન્ડોને પ્રશિક્ષિત કરવાનુ કામ પણ કરશે.SSS