યુપીમાં ભાજપના શિકોહાબાદનાં ધારાસભ્ય મુકેશ વર્માએ રાજીનામું આપ્યું
લખનૌ, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને એક બાદ એક એક ઝટકા લાગી રહ્યાં છે. ત્યારે શિકોહાબાદના ભાજપનાં ધારાસભ્ય મુકેશ વર્માએ રાજીનામું આપી દીધું છે. વર્માએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ભાજપ સરકારમાં દલિત, પછાત અને લઘુમતી સમુદાયના નેતાઓ પર ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. સરકારમાં ખેડૂતો, બેરોજગારો અને નાના વેપારીઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. વર્માએ કહ્યું કે, સ્વામી પ્રસાદ મૌર્ય તેમના નેતા છે. મુકેશ વર્માએ પણ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (ચૂંટણી ૨૦૨૨ સુધી) ની તારીખોની જાહેરાત બાદ છેલ્લાં ૨ દિવસમાં ભાજપને એક બાદ એક અનેક મોટા આંચકાઓ લાગી રહ્યાં છે. ત્યારે એવામાં બુધવારનાં રોજ ઓબીસી નેતા દારાસિંહ ચૌહાણે યોગી આદિત્યનાથની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લાં ૨ દિવસમાં રાજીનામું આપનાર દારાસિંહ ૬ઠ્ઠા નેતા છે. જાે કે આ દરમિયાન કોંગ્રેસના એક ધારાસભ્ય અને એક સપા ધારાસભ્ય પણ ભાજપમાં જાેડાયા છે.
ઉત્તર પ્રદેશ ચૂંટણીને લઈને બીજેપી નેતાઓની દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન મંગળવારે કેબિનેટ મંત્રી અને ખૂબ દિગ્ગજ નેતા એવાં સ્વામી પ્રસાદ મૌર્યએ યોગી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.HS