યોગી કેબિનેટનો મોટો ર્નિણય, ગરીબોને વધુ ૩ મહિના સુધી વિનામૂલ્યે અનાજ મળશે
લખનૌ, યોગી કેબિનેટે મોટો ર્નિણય લીધો છે. ગરીબોને વધુ ૩ મહિના સુધી વિનામૂલ્યે રાશન મળશે. કેબિનેટ બેઠક બાદ સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે ગરીબોને વધુ ૩ મહના સુધી મફતમાં રાશન આપવાના સરકારના ર્નિણય અંગે જાણકારી આપી. સીએમ યોગીએ કહ્યું કે વિનામૂલ્યે રાશનનો લાભ રાજ્યના ૧૫ કરોડ લોકોને મળી રહ્યો છે.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા ૧૫ મહિનાથી સરકાર ગરીબોને મફત રાશન ઉપલબ્ધ કરાવી રહી છે. જૂન મહિના સુધી વિનામૂલ્યે રાશન મળતું રહેશે. કોરોનાકાળમાં મફત રાશન આપવાની સરકારની યોજનાએ લોકોને ખુબ રાહત આપી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તર પ્રદેશના નવી બનેલી કેબિનેટે પોતાનો પહેલો ર્નિણય લઈ લીધો છે. આ ર્નિણય ઉત્તર પ્રદેશની ૧૫ કરોડ જનતા માટે છે. આ યોજના હેઠળ ૧૫ કરોડ ગરીબ પરિવારના લોકોને ૩૫ કિલોગ્રામ અનાજ મળે છે. જેમાં દરેક પરિવારને ૧ કિલોગ્રામ દાળ, ૧ કિલોગ્રામ રિફાઈન્ડ તેલ અને ૧ કિલોગ્રામ આયોડીનયુક્ત મીઠુ પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત અંત્યોદય પરિવારોને ૧ કિલોગ્રામ ખાંડ પણ આપવામાં આવે છે. આ યોજના માર્ચ ૨૦૨૨ સુધી જ હતી જેને જૂન સુધી આગળ વધારવામાં આવી છે.
તેમણે કહ્યું કે કોરોનાકાળમાં સરકાર લોકોના પડખે રહી. લોકોના ફ્રીમાં ટેસ્ટ કરવામાં આવ્યા અને રસી પણ આપવામાં આવી. મહામારીના કારણે જે પણ સમસ્યા આવી તેને પહોંચી વળવા માટે કામ કરવામાં આવ્યું. લોકોને ભૂખમરાનો ભોગ બનવા દેવાયા નહીં. કેબિનેટની પહેલી બેઠકમાં પણ અનાજ અંગે ર્નિણય લેવાયો અને આ યોજનાને વધુ ત્રણ મહિના માટે આગળ વધારવામાં આવી.HS