રણમાં છ ફૂટના અંતરે રાક્ષસી પગલાં મળી આવ્યા

અંદાજે છ-છ ફૂટના અંતરે રાક્ષસી માનવ જેવા ૩૦૦ જેટલા પગલાં જાેતાં સ્થાનિકોમાં કુતુહલ પેદા થયું હતું
સુરેંદ્રનગર, સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા પાટડી તાલુકાના રણ વિસ્તારમાં ઓડુ ગામથી મીઠાધોડા ગામ વચ્ચે માણસના રાક્ષસી પગલા મળી આવ્યા છે. જેનું અંતર છ ફુટ જેટલુ જાેવા મળ્યુ હતું. સામાન્ય રીતે માણસના પગલાઓ વચ્ચે દોઢથી બે ફુટનું અંતર હોઇ છે, પરંતુ આથી આ છ ફુટના અંતરના પગલાના નિશાન દેખાતા કુતુહલ ઉભુ થયુ છે.
અને હવે સ્થાનિકો તંત્ર આ પગલા બાબતે તપાસ કરે અને આદિ માનવનું અસ્તિત્વ છે કે પછી અન્ય કોઇ કારણ તે તપાસ કરે તેવી માંગ કરી રહ્યા છે. દશાડા પાટડી તાલુકામાં આવેલા કચ્છના નાના રણ તરીકે ઓળખાતા રણમાં ઓડુ અને મીઠાધોડા ગામ વચ્ચે આવેલી સફેદ ક્ષારયુક્ત જમીનમાં જ્યારે સ્થાનિકોએ અંદાજે છ-છ ફુટના અંતર રાક્ષસી માનવ જેવા ૩૦૦ જેટલા પગલાં જાેતાં કુતુહલ પેદા થયુ હતું અને આ રહસ્યમય વિરાટ માનવીના ડાબા અને જમણા પગલાઓ વચ્ચે અંતર માપતા છ ફુટનું અંતર જાેવા મળ્યું હતું.
આ પગલાની દિશા જાેતા પૂર્વ દિશા તરફથી આવેલા રાક્ષસી માનવ ખારી વિસ્તાર ઓળંગી અને રણ તરફ ગયો હોઇ તેવો અંદાજ છે. સ્થાનિકોનું માનવુ છે કે જાે કોઇ વ્યક્તિ કૂદકા મારીને જાય તો પણ ૩૦૦ જેટલા પગલા ન હોઇ અને બંને પગલાઓ વચ્ચે છ ફુટનું અંતર ન હોઇ. હવે આ રાક્ષસી માણસ કોણ છે અને ક્યાં ગયો છે તે અંગે કોઈ માહિતી સ્થાનિકોને મળી નથી.
આ રણમાં મળી આવેલા છ ફુટના અંતરના પગલાઓ કોઇ સામાન્ય માનવીના ન હોઇ શકે. પરંતુ કોઇ આટલી મોટી છલાંગ કોઇ પર ગ્રહવાસી એલિયનની કે દાનવની માયાજાળ હોઇ શકે છે. પરંતુ હાલ આ પગલાઓ સ્થાનિકોએ જાેતા રણમાં મીઠાના ભાગમાં સફેદમાં ઊપસી આવેલા પગલાઓ સ્પષ્ટ જાેઈ શકાય છે.
હાલ તો લોકોએ આ પગલાઓ ફરતે રાઉન્ડ કરી અને આ પગલાઓ ભુસાઇ નહી તેની તકેદારી રાખી રહ્યા છે. પરંતુ હવે આ સ્થાનિક લોકોની પણ માંગ છે કે તંત્ર આ બાબતે તપાસ આરંભી લોકોની મીઠી માનવ પરથી પડદો પાડે કે આ કોઇ બીજા ગ્રહના રાક્ષસી માનવ છે કે કોઇ બીજા ગ્રહના માનવી પરંતુ હવે તંત્ર ક્યારે તપાસ આરંભે છે તેની પર સ્થાનિકોની મીટ મંડાયેલી છે.