રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૬૨ દર્દીઓના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/corona.jpg)
Files Photo
રાજકોટ: રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ ૧૦ હજારથી વધુ આવી રહ્યા છે. એવામાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓની પણ સંખ્યા દરરોજ ૧૦૦ થી વધુ આવી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૬૨ દર્દીઓના મૃત્યું થયા છે. જેને લઇને ડેથ ઓડિટ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાને કારણે થયેલા મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોના કહેરની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના કેસનો આંક ૧૪ હજારે પહોચ્યા બાદ છેલ્લા ૪ દિવસથી કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેની સામે કોરોના સંક્રમણથી દર્દીઓનો મોતની સંખ્યા પણ ૧૫૦ ને પાર કરી ગઈ હતી પરંતુ તેમાં પણ હેવ ઘટાડો જાેવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટમાં કોરોનાના ૭૦૦ થી વધુ નવા કેસ નોંધાયા છે.
જાે કે, છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટમાં કોરોનાથી ૧૪ દર્દીઓના મોત થયા છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૬૨ દર્દીઓના મોત થાય છે. જ્યારે ગઈ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૭૬ દર્દીઓના મોત થયા હતા. જેને લઇને તંત્ર પણ વિચારમાં પડી ગયું છે. એવામાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડેથ ઓડિટ કરાયા બાદ કોરોનાને કારણે કેટલા દર્દીઓના મોત થયા છે તેનો મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવશે.