રાજસ્થાનના સાગવાડામાં 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું કરાયું આયોજન સંપન્ન

મોડાસા: અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના તત્વાવધાનમાં ગાયત્રી શક્તિપીઠ શ્રીરામ નગર દ્વારા તેમજ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે. પટેલની અધ્યક્ષતામાં અને મુખ્ય અતિથિ તરીકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની હાજરીમાં 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ, પાટોત્સવ, સંસ્કાર ઉત્સવ શિક્ષક સન્માન અને શ્રીરામ ગુરૂકુળમ ભવનના શિલાન્યાસને લઈ સોમવારથી ગાલિયાકોટ રોડ પર સ્થિત ગાયત્રી શક્તિપીઠમાં ચાર દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તેમજ પાટીદાર સમાજના અગ્રણી સી.કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ 19 ફેબ્રુઆરીના રોજ હાજરી આપી હતી. જેમનું જી.ડી. પટેલ (સમાજસેવી તેમજ મુખ્ય પ્રબંધ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ કોટા) તેમજ ગાયત્રી યજ્ઞમાં ઉમટી પડેલા અસંખ્ય લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગાયત્રી શક્તિપીઠ શ્રીરામ નગરના 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞમાં સી.કે. પટેલ સહિતના અગ્રણીઓ દ્વારા ખાસ હાજરી આપવામાં આવી હતી અને યજ્ઞમાં આહુતી પણ આપી હતી. મુખ્ય મહેમાન તરીકે પધારેલા લોકસભાના સ્પીકર ઓમ બીરલાનું વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષ સી.કે. પટેલ સહિત દિલીપ કાનાણી, એમ.એ.પટેલ, વજુભાઈ પરસાણા, સુધીર એસ. રાવલ દ્વારા મોમેન્ટો આપી શુભેચ્છાઓની આપ લે કરવામાં આવી હતી.