રાજસ્થાનના CM ગેહલોત બીજી વખત કોરોનાગ્રસ્ત
જયપુર, દિલ્હીમાં કોરોના સંક્રમણની સ્પીડ ત્રણ દિવસમાં ત્રણ ગણી થઈ છે. 4 જાન્યુઆરીએ દિલ્હીમાં 5481 કેસ સામે આવ્યા હતા, 5 જાન્યુઆરીએ મામલો વધીને 10,665 થઈ ગયા. 6 જાન્યુઆરી એટલે કે આજે 15,097 કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમિત 6 લોકોના જીવ ગયા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 15.43% થઈ ગયા છે.
તો રાજસ્થાનના CM અશોક ગેહલોત કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ગેહલોતના પુત્ર વૈભવ પહેલાથી જ સંક્રમિત છે. તેઓ હાલ ઘરમાં રહીને પોતાની સારવાર કરાવી રહ્યાં છે. અશોક ગેહલોત ગત વર્ષે એપ્રિલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા. ત્યારે તેમની પત્ની સુનિતા પણ કોરોના પોઝિટિવ થયા હતા.