Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોનાના નવા ૨૧ કેસો સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આંકડાઓમાં તબક્કાવાર રીતે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૨૧ કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ ૩૦ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૬૪૮ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે રાજ્યનો રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે. રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે.

આજના દિવસમાં કુલ ૪,૯૬,૪૮૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૪૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૪ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૩૮ સ્ટેબલ છે. ૮,૧૫,૬૪૮ કોરોના પોઝિટિવ દર્દીઓ અત્યાર સુધી ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. તો ૧૦૦૮૨ નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને કારણે મરણને શરણ થઇ ચુક્યા છે.

જાે કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નિપજ્યું નથી. આજે અમદાવાદ કોર્પોરેશનમાંથી ૬, વલસાડ ૫, સુરત કોર્પોરેશ અને વડોદરા કોર્પોરેશનમાંથી ૩-૩ , ભાવનગર કોર્પોરેશનમાં ૧, ગાંધીનગર, કચ્છ, નવસારીમાંથી ૧-૧ કેસ સામે આવ્યા હતા. આ પ્રકારે ગુજરાતમાં આજે કુલ ૨૧ કેસ નોંધાયા છે.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૯ ને પ્રથમ ૨૨૮૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૧૦૦૨ ને રસીનો પ્રથમ અને ૬૭૪૩૭ ને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. ૧૮-૪૫ વર્ષ સુધીના ૧૭૪૨૩૦ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧,૯૧,૫૦૯ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. અત્યાર સુધીમાં કુલ ૪,૯૬,૪૮૫ ડોઝ આજના દિવસમાં અપાયા હતા. ૬,૦૦,૨૦,૯૪૪ રસીના ડોઝ અત્યાર સુધીમાં અપાઇ ચુક્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.