રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૭ કેસો નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૨૭ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૪ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૭૨૬ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ પણ સુધર્યો છે. કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.
આજે ગાંધી જયંતી પ્રસંગે ૧,૬૪,૫૯૬ રસીના ડોઝ અપાયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૭૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૪ નાગરિકો વેન્ટીલેટર પર છે. ૧૬૭ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૫,૭૨૬ નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. તો બીજી તરફ ૧૦૦૮૨ નાગરિકો અત્યાર સુધીમાં કોરોના સામે હારી ચુક્યા છે.
જાે કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નથી થયું જે સકારાત્મક સમાચાર કહી શકાય. આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૧૦, સુરત કોર્પોરેશન ૮, વલસાડ ૩, વડોદરા કોર્પોરેશન ૨, ભામનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, સુરત માં ૧-૧ કેસ આવ્યા છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૨૭ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૨ ને રસીનો પ્રથમ અને ૧૨૫૪ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૮૬૪૫ નાગરિકોને રસીનો પ્રથમ અને ૨૬૦૩૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૫૧૯૬૯ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૬૬૬૯૦ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ ૧,૬૪,૫૯૬ કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ ૬,૧૩,૮૧,૫૧૨ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS