રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૧૯ કેસ નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૧૯ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૭ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૬૮૫ દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૩૫,૭૩૪ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૦૪ એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૨૦૪ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૩,૬૮૫ નાગરિકો હરાવી ચુક્યાં છે.
તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨, વડોદરા કોર્પોરેશન ૬ અને અમદાવાદ ૧ કેસ નોંધાયો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૭૮૯ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૧૮૦૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૬૩ ને રસીનો પ્રથમ અને ૨૨૯૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૮૮૪૦ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૯૩૮ ને રસીનો પ્રથમ અને ૧૦૮૯૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૩૫,૭૩૪ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૮૫,૧૧,૫૦૫ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss2kp