રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૬૮ કેસ નોંધાયા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૬૮ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૧ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૧૭૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૮ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૫૫,૭૧૪ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૪૦ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૩૪૦ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૪,૧૭૮ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૪૨, વડોદરા કોર્પોરેશનમાં ૮, રાજકોટ કોર્પોરેશનમાં ૪, વડોદરા ૩, કચ્છ, મહેસાણા અને સુરત કોર્પોરેશનમાં ૨-૨ કેસ અને ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન અને મોરબીમાં ૧-૧ કેસ નોંધાયા છે.બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૭૭૯ નાગરિકોને રસીનો પ્રથમ અને ૨૦૩૦૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૨૮ ને રસીનો પ્રથમ અને ૧૩૯૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨૫૫૭૮ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૬૪૮ ને રસીનો પ્રથમ અને ૬૮૭૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫૫,૭૧૪ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૨,૦૦,૨૧૭ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS2KP