રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૫૩ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૫૩ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૪૯ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૨૨૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને ૯૯.૦૮ ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૩૬,૯૨૪ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૪૪ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૩૪૪ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૪,૨૨૭ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૩૧, વડોદરા કોર્પોરેશનમાં ૯, સુરત કોર્પોરેશન ૩, વલસાડમાં ૩, રાજકોટ કોર્પોરેશનમાં ૨, અમદાવાદ, આણંદ, મહેસાણા, તાપી અને વડોદરામાં ૧-૧ કેસ નોંધાયો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૭૭૧ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૨૮૫૦ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૨૩ ને રસીનો પ્રથમ અને ૧૦૮૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૬૪૪૬ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૩૮૭ ને રસીનો પ્રથમ અને ૫૨૬૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૩૬,૯૨૪ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૨,૩૭,૧૪૧ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss3kp