રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩ કેસ સામે આવ્યા
ગાંધીનગર, ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર જતી રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૩ કેસ સામે આવ્યા છે તો આ દરમિયાન ૧ વ્યક્તિનું નિધન થયું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર બાદ ૬૩ લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખ ૨૩ હજાર ૬૩૨ થઈ ગઈ છે. તો કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૯૩૯ લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૧૯ કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેરમાં ૩, બનાસકાંઠામાં ૨, રાજકોટમાં ૨, દાહોદ, ગાંધીનગર શહેર, પાટણ, મોરબી, સુરત અને તાપીમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો અમદાવાદમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૫૦૬ રહી ગયા છે, જેમાં છ દર્દી વેન્ટિલેટર પર છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી ૧૨ લાખ ૧૨ હજાર ૧૮૭ લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૯૩૯ લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ ૯૯.૦૬ ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના ૧૦ કરોડ ૩૯ લાખ ૭૩ હજાર ૯૯૦ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS