રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪ કેસ સામે આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયું છે. રાહતની વાત છે કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨ દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં નવા કેસ બાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૮ લાખ ૨૬ હજાર ૩૪૦ થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦ હજાર ૮૭ લોકોના નિધન થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૬ હજાર ૭૭ લોકો સાજા થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૨ કેસ સામે આવ્યા છે. તો આણંદમાં બે નવા કેસ નોંધાયા છે. જામનગર, જુનાગઢ, સુરત શહેરમાં એક-એક અને વલસાડ તથા રાજકોટ શહેરમાં ત્રણ-ત્રણ કેસ સામે આવ્યા છે. તો વલસાડ જિલ્લામાં એક દર્દીનું નિધન થયું છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૭૬ છે, જેમાં ૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૮ લાખ ૨૬ હજાર ૩૪૦ થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦ હજાર ૮૭ લોકોના નિધન થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૬ હજાર ૭૭ લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે ૪ કલાક સુધીમાં ૨ લાખ ૯૬ હજાર ૧૬૦ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી ૬ લાખ ૭૩ લાખ ૫૧ હજાર ૭૪૧ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS