રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૧૦ કેસ નોંધાયા

Files Photo
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧૦ નવા કેસ નોંધાયા છે, તો આ દરમિયાન કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીએ કોરોનાને માત આપી છે.
રાજ્યનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે ૧૦ હજાર ૮૧ લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ ૮ લાખ ૧૫ હજાર ૨૧૩ લોકો સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ ૮ લાખ ૨૫ હજાર ૪૪૫ કેસ નોંધાયા છે. રાજ્યના ૨૮ જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં ૩ કેસ નોંધાયા છે. તો વડોદરા જિલ્લામાં ૪ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ એક-એક અને કચ્છમાં ૧ કેસ નોંધાયો છે. રાજ્યમાં એક્ટિવ કેસ ૧૫૧ છે. જેમાં ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યનો રિકવરી રેટ પણ ૯૯ ટકા સુધી પહોંચી ગયો છે.
ગુજરાતમાં આજે સાંજે ૪ કલાક સુધીમાં ૭ લાખ૨૩હજાર ૯૮૦ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૪ કરોડ ૭૭ લાખ ૪૨હજાર ૬૯૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS