રાજ કપૂરનું દિલ પૂર્વ પીએમ નેહરુએ તોડી નાખ્યું હતું

મુંબઈ, અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા તરીકે હિન્દી સિનેમામાં યોગદાન આપનાર અભિનેતા શોમેન રાજ કપૂરે ૧૦ વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્કિલાબથી સિનેમાના પડદે દસ્તક આપી હતી. આ પછી રાજ કપૂરે લોકોના દિલ પર રાજ કર્યું. તેની દરેક ફિલ્મની પ્રશંસા થઈ હતી. આટલું જ નહીં, લોકોએ રાજ કપૂર અને નરગીસની જાેડીને પણ દિલથી પસંદ કરી અને તેમના પ્રેમની કહાની પણ અદ્ભુત હતી.
જાે આપણે રાજ કપૂરના જીવન વિશે જાેઈએ, તો તેમનું જીવન એક પડદા જેવું હતું, તેમાં ઘણી વાર્તાઓ અને ટુચકાઓ હતા, તેમાંથી એક પંડિત જવાહરલાલ નેહરુની સાથેની પણ સ્ટોરી છે. કરોડો દિલો પર રાજ કરનાર રાજ કપૂરનું દિલ જ્યારે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તોડી નાખ્યું હતું, એ વાર્તા ઘણી રસપ્રદ છે. વાસ્તવમાં, વાર્તા ૧૯૫૭ની છે, જ્યારે રાજ કપૂર ‘અબ દિલ્લી દૂર નહીં’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા.
આ ફિલ્મની વાર્તા એક એવા બાળક પર આધારિત હતી જેના પિતાને જેલમાં રાખવામાં આવ્યા હતા અને તે સજા ઘટાડવા ચાચા નેહરુને મળવા માંગે છે અને આ માટે તે દિલ્હી પહોંચે છે. રાજ કપૂર આ બાળકનો સીન પંડિત જવાહરલાલ નેહરુ સાથે ત્રિમૂર્તિ ભવનમાં શૂટ કરવા માંગતા હતા, પરંતુ જ્યારે નેહરુની ટીમે તેમને આ ફિલ્મમાં ન જાેડાવાની સલાહ આપી ત્યારે તેમણે રાજ કપૂરની ફિલ્મમાં કામ કરવાનું પાછું ખેંચી લીધું.
પીઢ અભિનેતા રાજ કપૂર સાથે સંબંધિત આ રસપ્રદ કિસ્સો જાણીતા મીડિયા દ્વારા તેના એક અહેવાલમાં જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ, શોમેન રાજ કપૂર પંડિત જવાહરલાલ નેહરુના મોટા પ્રશંસક હતા અને તેમને તેમની ફિલ્મ ‘અબ દિલ્લી દૂર નહીં’માં કાસ્ટ કરવા માંગતા હતા.
પરંતુ પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પોતાની ટીમની વાત સાંભળીને રાજ કપૂરની આ ફિલ્મમાંથી ખસી જવાનો ર્નિણય લીધો હતો. તમને જણાવી દઈએ કે, એક્ટર દેવ આનંદે પણ પોતાના એક ઈન્ટરવ્યુમાં રાજ કપૂર સાથે જાેડાયેલા એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. અમે ત્રણેય રાજ કપૂર, દિલીપ કુમાર અને હું છેલ્લીવાર પંડિત જવાહર લાલ નેહરુને મળવા દિલ્હી ગયા હતા.
એ બે કલાકની મુલાકાત દરમિયાન અમે ત્રણેય બાળકોની જેમ વર્તતા હતા અને પંડિત જવાહર લાલ નેહરુ દાદા જેવા દેખાતા હતા. આ સિવાય હું, દિલીપ કુમાર અને રાજ કપૂર પણ તેમના બહુ મોટા ચાહકો હતા, તેથી અમે તેમને મળીને ખૂબ જ ખુશ થયા અને તેમની સાથે હળવી મજાક પણ કરી.
તમને જણાવી દઈએ કે, રાજ કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદની મુલાકાત પંડિત જવાહરલાલ નેહરુજી સાથે સારી રહી હશે, પરંતુ આ મીટિંગના નિષ્કર્ષ પર કંઈ ન આવ્યું. આ પછી પણ રાજ કપૂર નિરાશ થયા અને રાજ કપૂરે પંડિત જવાહરલાલ નેહરુ વગર પોતાની ફિલ્મ બનાવવી પડી.SSS