રાષ્ટ્રપતિએ દેશની ૨૯ હસ્તીઓને નારી શક્તિ પુરસ્કારથી સમ્માનિત કરી
નવીદિલ્લી, દર વર્ષે ૮ માર્ચનો દિવસ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે.આજે દેશમાં આ પ્રસંગે ઘણા પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ ભવનમાં પણ આ દિવસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૧ માટે ૨૯ હસ્તીઓને પ્રતિષ્ઠિત નારી શક્તિ પુરસ્કારથી સમ્માનિત કરી.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પુરસ્કૃત હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી .
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦ના પુરસ્કાર સમારંભ કોવિડ-૧૯ મહામારીના કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓના કારણે ૨૦૨૧માં આયોજિક કરવામાં આવી શકાયો નહોતો. માટે આ વર્ષે ૨૦૨૦ના ૧૪ અને ૨૦૨૧ માટે ૧૫ પુરસ્કાર એમ કુલ ૨૯ હસ્તીઓને પુરસ્કાર આપવામાં આવ્યા.HS