Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમે ઈદ-એ-મિલાદની શુભકામનાઓ પાઠવી

નવીદિલ્હી, ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યુ છે કે, ‘પેગમ્બર મોહમ્મદના જન્મદિવસ, ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પવિત્ર અવસર પર, હું સહુ દેશવાસીઓને, ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈ-બહેનોને મુબારકબાદ આપુ છુ. આવો, આપણે સહુ પેગમ્બર મોહમ્મદના જીવનમાંથી પ્રેરણા લઈને, સમાજની ખુશહાલી માટે અને દેશમાં સુખ અને શાંતિ જાળવવા માટે કાર્ય કરીએ.રાષ્ટ્રપતિએ ત્રણ ભાષાઓમાં દેશવાસીઓને ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ આપી છે. તેમણે હિંદી, ઉર્દૂ અને અંગ્રેજીમાં ટિ્‌વટ કર્યુ છે.

પીએમ મોદીએ પણ દેશવાસીઓને પાવન પર્વની શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટિ્‌વટ કર્યુ છે કે, ‘ઈદ-એ-મિલાદ-ઉન-નબીની શુભકામના. ચારે તરફ શાંતિ અને સમૃદ્ધિ હોય. દયા અને ભાઈચારો હંમેશા જળવાઈ રહે. ઈદ મુબારક.’ તમને જણાવી દઈએ કે દર વર્ષે ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર પેગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે મુસ્લિમ લોકો પોતાના ઘરોને વિશેષ રીતે સજાવે છે અને પકવાન બનાવે છે. વળી, આજે કુરાનની પણ ઈબાદત કરવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.