Western Times News

Gujarati News

રિયલ લાઈફમાં વિરાટ અને પાંખી એકબીજાને ડેટ કરે છે

મુંબઈ: એક્ટ્રેસ આયશા સિંહ એટલે કે સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની ‘સઈ’ ખૂબ ખુશ છે કે તેમનો શો ખૂબ પોપ્યુલર થઈ રહ્યો છે. આયશાએ કહ્યું, આ લાગણી ખૂબ અદ્ભૂત છે. હું ખુશ છું કે કોવિડના સમયમાં લોકોનો રોજગાર છૂટી રહ્યો હતો ત્યારે મને સીરિયલમાં લીડ રોલ મળ્યો.

વધતી પોપ્યુલારિટી સાથે આયશા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ થવાનું શીખી રહી છે. આ વિશે આયશાએ કહ્યું, “એવું નથી કે અંતર્મુખી છું પરંતુ હું ફોન પ્રકારની વ્યક્તિ છું. મતલબ કે મને ફોન કરવો વધારે પસંદ છે

જે આજના સમયમાં ખાસ કરીને મારી ઉંમરના લોકોમાં ઓછું પ્રચલિત છે. મને મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરવા માટે તસવીરો ખેંચાવી પસંદ નથી. પરંતુ હવે હું આ શીખી રહી છું કારણકે આ મારા કામનો ભાગ છે. જાે કે, હું અતિશયોક્તિ નથી કરતી.

સીરિયલમાં આયશાએ એક્ટર નીલ ભટ્ટ સાથે લગ્ન કર્યા છે જે રિયલ લાઈફમાં શોની જ બીજી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માને ડેટ રરી રહ્યો છે. નીલ અને ઐશ્વર્યાએ થોડા દિવસો પહેલા જ સગાઈ કરી છે. આ વિશે વાત કરતાં આયશાએ કહ્યું, સાચું કહું તો મને ખબર જ નહોતી કે તેઓ રિલેશનશીપમાં છે. સેટ પર હું માત્ર એક જ વ્યક્તિ હતી

જેને તેમના ડેટિંગ વિશે ખબર નહોતી કારણકે હું મારી જ દુનિયામાં ખોવાયેલી રહેતી હતી. પણ હવે મને ખબર પડી ગઈ છે ત્યારે હું અને ઐશ્વર્યા નીલને ખૂબ ચીડાવીએ છીએ, ખાસ કરીને રોમેન્ટિક સીનમાં તેની મશ્કરીએ કરીએ છીએ! આયેશાએ વકીલાત કરી છે. તેણે ક્રિમિનલ અને સિવિલ લૉ સૂટમાં સ્પેશિયલાઈઝેશન કર્યું છે.

વકીલથી એક્ટર બનવા સુધીની જર્ની વિશે વાત કરતાં તેણે કહ્યું, “હું વકીલોના પરિવારમાંથી આવું છું પરંતુ હું એક્ટ્રેસ બનવા માગતી હતી પરંતુ મને ખબર નહોતી કે ત્યાં સુધી કેવી રીતે પહોંચાય. ઈન્ટર્નશીપ દરમિયાન મને વિવિધ કેસ પર કામ કરવાની તક મળી હતી. પરંતુ સાચું કહું તો ફિલ્મો અને સીરિયલોમાં બતાવાય છે તે પ્રકારે કોર્ટરૂમ રસપ્રદ નથી હોતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.