રિયા ચક્રવર્તીની જાહેર જીવનમાં આવવા ક્વાયત

મુંબઈ: ૨૦૨૦નું વર્ષ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ રિયા ચક્રવર્તી વિવિધ તપાસ એજન્સીઓની કચેરીઓના ધક્કા ખાતી અને તેમના આકરા સવાલોના જવાબ આપતી જાેવા મળી હતી.
એટલું જ નહીં ડ્રગ્સ કેસમાં ફસાતા રિયા ચક્રવર્તીએ એક મહિનો જેલમાં ગાળ્યો હતો. જાે કે, હવે ૨૦૨૧માં રિયા નવી શરૂઆત કરતી જાેવા મળી રહી છે.
જેલમાંથી છૂટા બાદ પહેલીવાર રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક ચક્રવર્તી મુંબઈમાં સાથે દેખાયા હતા. રિયા અને શોવિક મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં ઘરની શોધ કરતાં નજરે ચડ્યા હતા.
હવે લાગી રહ્યું છે કે, રિયા ચક્રવર્તીએ પોતાના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે મુલાકાત કરીને નોર્મલ લાઈફ જીવવા તરફ પહેલું ડગલું માંડ્યું છે. રિયા ચક્રવર્તી રોડીઝ ફેમ રાજીવ લક્ષ્મણ સાથે જાેવા મળી છે.
રાજીવે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રિયા સાથેની તસવીરો શેર કરી હતી. જેમાં એક્ટ્રેસ રાજીવને ભેટતી અને કેમેરા સામે સ્માઈલ કરતી જાેવા મળે છે. રાજીવે પોતાના પરિવાર અને મિત્રો સાથે ગેટ ટુ ગેધરનું આયોજન કર્યું હતું, જેમાં રિયા ચક્રવર્તી પણ સામેલ થઈ હતી.
તસવીરોમાં જાેઈ શકો છો કે, રિયા ચક્રવર્તીએ ચેક્સવાળું બ્લેઝર પહેર્યું છે. મેકઅપ વિના પણ રિયા સુંદર લાગી રહી છે. ફેન્સ સાથે તસવીરો શેર કરતાં રાજીવે લખ્યું હતું, માય ગર્લ. જાે કે, હવે રાજીવે આ પોસ્ટ ડિલીટ કરી નાખી છે. રિયા સાથેની પોસ્ટ ડિલીટ કર્યા બાદ રાજીવે ઈન્સ્ટાગ્રામ પર અન્ય એક પોસ્ટ મૂકી છે.
જેમાં લખ્યું છે, ‘મને લાગે છે કે મેં શબ્દોની અયોગ્ય પસંદગી કરીને વિના કારણની પરેશાની નોતરી છે. રિયા મારી જૂની મિત્ર છે અને તેને ફરી મળીને મને આનંદ થયો છે. જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી રિલેશનશીપમાં હતા. તેઓ લોકડાઉન દરમિયાન સાથે જ રહેતા હતા.
જાે કે, સુશાંતના મોતના અઠવાડિયા પહેલા રિયા તેનું ઘર છોડીને માતાપિતા સાથે રહેવા ચાલી ગઈ હતી. ૧૪ જૂન ૨૦૨૦ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રા સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
સુશાંતના મોત બાદ તેના પિતાએ રિયા ચક્રવર્તી, તેના પરિવાર અને અન્ય કેટલાક લોકો સામે દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. કે.કે. સિંહની ફરિયાદના આધારે સુશાંતના અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.