રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળી: દરેક સમાજના લોકોનો ફાળો
ગાંધીનગર, રૂપાલ ગામમાં પરંપરાગત પલ્લી નીકળી હતી. દશેરા ની મોડી રાત્રે મા વરદાયિનીની પલ્લી નીકળી હતી. આ વખતે કોરોના મહામારીને કારણે માત્ર ગામના લોકોની હાજરીમાં જ પલ્લી નીકળી હતી. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના ૨૭ ચોકમાંથી પસાર થઇ હતી અને દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહ્યું હતું.
આ માટે ગામમાં આવેલ માતાના સ્થાનને રોશનીથી સજાવવામાં આવ્યું હતું અને માતાજીની પલ્લી પર લાખો લીટર ઘી ચડાવાયું હતું પલ્લીની પ્રથા એવી છે કે, જે લોકોની બાધા પૂરી થઈ હોય તેઓ પલ્લીમાં ઘી ચઢાવે છે.
આ ઉપરાંત બાળકો જન્મ્યા હોય, તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. બાળકોનો જન્મ થયો હતો તેવી મહિલાઓ પલ્લીની સ્તુતિવંદના કરે છે.પલ્લીમાં સમાજના દરેક વર્ગના લોકોનો સહયોગ લેવામાં આવે છે.
કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રૂપાલ ગામમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને કોરોના વાયરસના કારણે નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું હતું.
દશેરા પર્વ નિમિત્તે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પરંપરાગત રીતે ૧૩૭ મી પલ્લી યાત્રા નીકળી હતી. આ પલ્લી યાત્રા નરોડા ગામના દરબારવાસથી નીકળી ગામમાં ફરી રાંદલ માતાજીના મંદિરે લઇ જવાઇ હતી.HS