રોહિત શર્મા ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર કેએલ રાહુલને વન ડે ટીમની કેપ્ટનશીપ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/Rahul-1024x576.jpg)
મુંબઇ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૩ મેચની વન ડે સિરીઝ રમાવાની છે. ઓપનર કેએલ રાહુલને આ સિરીઝ માટે કેપ્ટનશિપ આપવામાં આવી છે જ્યારે રોહિત શર્મા ઈજાના કારણે બહાર રહેશે. વિરાટ કોહલી એક ખેલાડી તરીકે ટીમ સાથે જાેડાશે. દક્ષિણ આફ્રિકા સામેની ૩ મેચની વન ડે શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી. આ સિરીઝ માટે કેએલ રાહુલને કેપ્ટનશિપ આપવામાં આવી છે.
જ્યારે રોહિત શર્મા ઈજાના કારણે બહાર રહેશે. વિરાટ કોહલી એક ખેલાડી તરીકે ટીમ સાથે જાેડાશે. ટીમમાં રિષભ પંત અને ઈશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને વન ડે ટીમની વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી છે. હાલમાં જ વિરાટ કોહલીનો BCCI સાથે પણ વિવાદ થયો હતો. જાેકે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે ટીમ માટે કેપ્ટનને બદલે ખેલાડી તરીકે રમશે.
વનડે શ્રેણી માટેની ભારતીય ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, ઋષભ પંત (વિકેટકેટર), ઈશાન કિશન (વિકેટકીન), યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન , જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, ફેમસ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ.HS