લખતર પાસે કેનાલમાં પાણી પીવા જતાં બે યુવક ડૂબ્યા, એકનું મોત; એક લાપત્તા
લગ્ન વર્ષગાંઠના દિવસે જ યુવકને મોત આંબી ગયું
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જીલ્લાની લખતરના બજરંગપુરા અણીન્દ્રા નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે યુવકો ડૂબ્યા હતા. જેમાં એક યુવકની લાશ મળી આવી છે. જયારે અન્ય એક લાપત્તા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમીક તપાસમાં બંને યુવકો કેનાલમાં પાણી પીવા માટે ઉતર્યા બાદ અકસ્માતે ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. જે યુવકની લાશ મળી આવી છે. તેની આજે જ લગ્નની વર્ષગાંઠ હોવાનું સામે આવ્યું છે. યુવકના મોતના કારણે માત્ર બે મહીનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવવી પડી છે. બજરંગપુરા-અણીન્દ્રા પાસેની કેનાલમાં જે બે યુવકો પીવા માટે ઉતર્યા બાદ અકસ્માતો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.
બે પૈકીના એક યુવકને મૃતદેહ મળી આવ્યો છે. જયારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે. આ બંને યુવકો ખેતરની ઓરડીમાં વાયરીગ કામે ગયા હતા. અને તરસ લાગતા કેનાલમાં પાણી પીવા માટે ઉતર્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવની સ્થળે એકઠા થઈ ગયા હતા.
આ બંને યુવકો સુરેન્દ્રનગરના રતનપરના હોવાનું ખુલવા પામ્યું છે. ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર ફાયરબ્રીગેડ ઘટનાસ્થળે પહોચી હતી. અને મૃતક યુવકોના પરીવારને જાણ કરવામાં આવી હતી. જેમાં આ ગોઝારી ઘટનાને લઈ પરીવાર શોકમગ્ન બન્યો હતો. જેમાં કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને પીએમ અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત લખતર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મૃતકના ભાઈ શેખ મકસુદભાઈએ જણાવ્યું હતું કે, મારો નાનો ભાઈ સદામહુસેન સલીમભાઈ શેખ ગામડામાં વાડી પાસેના મકાનમાં ઈલેકટ્ર્કનું કામ કરવા માટે ગયો હતો. હું ઘેર જમવા આવ્યો ત્યારે ૧૦૮ વાળાનો ફોન આવ્યો હતો. કે, આ ભાઈની કેનાલમાંથી લાશ મળી આવી છે. તમે આવી જાવ પછી મળી આવી છે.
તમે આવી જાવ પછી અમે ઘટનાસ્થળે પહોચ્યા અને મારશા ભાઈની લાશને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં લખતર સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છીએ. અને બે મહીનાની દીકરી છે. અને આજે એમની મેરેજ એનીવર્સરી હતી.