લોકડાઉનવાળા રાજ્યોમાં દર મહીને ગરીબોને રૂ. ૬૦૦૦ આપવા જાેઇએ : અધિર રંજન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
નવીદિલ્હી: કોરોના વાયરસે દેશ આખામાં તાબાહી મચાવી છે. અને દેશમાં ઘણા રાજ્યોએ કોરોના સામે લડવા માટે લોક ડાઉન નો સહારો લીધો છે. જેના કારણે લોકોના કામ ધંધા પણ બંધ છે. અને લોકો આવામાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના નેતા અધિર રંજનએ પીએમ મોદીને પત્ર લખીને ગરીબ લોકોની આર્થિક સહાયની માંગ કરી છે.
કોંગ્રેસ પાર્ટીના નેતા અધિર રંજન ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં રાજ્યોના ગરીબ અને બેરોજગારોને લોકડાઉન સાથે દર મહિને ૬૦૦૦ રૂપિયા આપવા વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ જરૂરીયાતમંદોને નિઃ શુલ્ક ભોજનની વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી છે.
પત્રમાં અધિર રંજન ચૌધરીએ લખ્યું છે કે કોરોના રોગચાળાને કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે મજૂરો સ્થળાંતર કર્યું છે. પરિણામે કામદારોના રોજગારમાં મુશ્કેલી સર્જાઈ છે. આવી સ્થિતિમાં રોજગાર અને આવકના અભાવને કારણે આવા લોકો માટે તેમનું કુટુંબ ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે સૂચવ્યું છે કે કેન્દ્ર સરકારે જરૂરતમંદ લોકોને નિઃ શુલ્ક રેશન આપવું જાેઈએ અને બેરોજગાર લોકોને દર મહિને ૬૦૦૦ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવી જાેઈએ. તેમજ ગરીબોને પણ દર મહિને ૬૦૦૦ રૂપિયાની સહાય આપવી જાેઇએ.