લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરાશે : ગૃહ રાજ્યમંત્રી

ગાંધીનગર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે.
રાજ્યના વિવિધ વિભાગોમાં પારદર્શિરીતે ભરતી પ્રક્રિયાઓ હાથ ધરાઇ રહી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ યુવાઓ માટે વર્ષ ૨૦૧૮-૧૯ ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની જાહેરાત સંદર્ભે વેઇટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનો વધુ એક રોજગારી લક્ષી મહત્વનો ર્નિણય કર્યો છે. હવેથી લોકરક્ષ દળની ભરતીમાં રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં ૧૦ % ને બદલે હવે ૨૦% પ્રતીક્ષાયાદી તૈયાર કરાશે.
મંત્રીશ્રી સંઘવીએ ઉમેર્યુ કે, રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે યુવાઓ માટે લીધેલા આ મહત્વના ર્નિણયને પરિણામે ગુજરાતના શાનદાર, જાનદાર, દમદાર અને અસરદાર પોલીસ તંત્રમાં જાેડાઇને રાજ્યની સાડા છ કરોડ જનતાની તન, મન અને ધનથી સેવા કરવા ઇચ્છુક યુવાનોને રોજગારીનો અનેરો અને સોનેરી અવસર મળશે.
સંઘવીએ રાજ્ય સરકારે લીધેલા ઐતિહાસિક ર્નિણયની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રવર્તમાન રાજ્ય સરકાર નાગરિકોની આશા અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા સંકલ્પબધ્ધ છે. રાજ્ય સરકારે પોલીસતંત્ર માટે કરોડરજ્જુ સમાન પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ, જેલ સિંપાઇ સંવર્ગની આશરે ૧૦,૦૦૦ જગ્યાઓ પર ભરતી કરવા માટે સૌથી મોટો ભરતી કાર્યક્રમ હાથ ધર્યો હતો.
વિશાળ પાયા પર હાથ ઘરેલ પ્રક્રિયાના અંતે લાયક ઉમેદવારોને નિમણૂક આપી દેવાઇ છે. જેના કારણે દસ હજાર ઘરોમાં આશાનો સૂર્યોદય ઉગ્યો છે અને સરકારને લાખો કરોડોની સંખ્યામાં આશિર્વાદ મળ્યા છે.
સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે વિવિધ ભરતી પ્રક્રિયામાં પસંદગી યાદી બાદ ૧૦% જગ્યાની વેઇટીંગ લીસ્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતું કાયદો અને વ્યવસ્થાની મજબુત જાળવણી, ગુનાઓ બનતા અટકાવવા, નોંધાયેલા ગુનાની વૈજ્ઞાનિક અને આધુનિક સાધનોની મદદથી તપાસ કરવા માટે કૌશલ્યવાન પોલીસ દળ ઉપલબ્ધ થઇ રહે અને આશાસ્પદ યુવાનો યુવતીને રોજગારીની તક મળે માટે હવે ૧૦ % ને બદલે ૨૦% ની પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે રાજ્યમાં સૌપ્રથમવાર ખાસ કિસ્સામાં ર્નિણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આ મહત્વાકાંક્ષી ર્નિણયના લીધે યુવાન-યુવતીઓ રાજ્યના ગૌરવ સમાન પોલીસ તંત્રમાં જાેડાઇને તેમની શક્તિઓ અને સામર્થન્ પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક સાંપડશે તેમ પણ શ્રી સંઘવીએ જણાવેલ છે.HS