વટવામાં વૃધ્ધ વેપારીને બેભાન કરી લુંટ ચલાવી બે શખ્સો ફરાર
ગ્રાહકનાં સ્વાંગમાં આવેલા લુંટારૂએ નશાયુક્ત પદાર્થ સુંઘાડી કિંમતી ઘડીયાળ, સોનાની વીંટી કાઢી લીધી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના વટવા વિસ્તારમાં બે લુંટારુઓએ વૃધ્ધ વેપારીને નશાયુક્ત પદાર્થ સુંઘાડીને બેહોશ કર્યા બાદ લુંટની ઘટના સામે આવી છે.
આ અંગેની એવી છે કે દયાલદાસ ફિફાણી (૭પ) સ્વાગત બંગ્લોઝ, ઘોડાસર રહે છે અને સુર્ય કિરણ કોમ્પલેક્ષ બચુરામ આશ્રમની બાજુમાં વટવા ખાતે ગાયત્રી કૃપા ફોમ નામની દુકાન ધરાવી ડનલોપના ગાદલાનો વેપાર કરે છે કેટલાંક દિવસ અગાઉ દયાલદાસ તેમની દુકાનમાં હાજર હતા એ વખતે સવારે સાડા નવ વાગ્યાના સુમારે લુંટારૂ ગ્રાહકના સ્વાંગમાં તેમની દુકાનમાં આવ્યા હતા
જેમાંથી એક દુકાન બહાર ઉભો હતો. અંદર આવેલા શખ્સે વિવિધ ગાદલા જાેયા બાદ એક પસંદ કર્યુ હતુ અને આ ગાદલુ મારે દાનમાં આપવાનું છે તેથી પછી આવીને લઈ જઈશ તેમ કહી ટોકન પેટે અગિયારસો રૂપિયા આપ્યા હતા એ દરમિયાન આ શખ્સે તેમને કોઈ પદાર્થ સુંઘાડી દેતાં દયાલદાસ બેહોશ થઈ ગયા હતા ભાનમાં આવ્યા ત્યાં સુધી બંને શખ્સો તેમની મોંઘી ઘડીયાળ, સોનાની વીંટી સહીત કુલ ર૩ હજારથી વધુની કિંમતની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ તુરંત તેમણે તેમના પુત્રને જાણ કરી હતી.
અને બાદમાં તેની ફરીયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વૃધ્ધને બેભાન કરી લુંટની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ગઈ છે અને હવે દુકાન તથા આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજને આધારે બંને લુંટારૂની શોધખોળ શરૂ કરી છે.