વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા ને લઈ કાર્યક્રમનું આયોજન કરાયું
(પ્રતિનિધિ) બાયડ, ધનસુરા નવોદય વિદ્યાલય ખાતે વડાપ્રધાન ના પરીક્ષા પે ચર્ચા નું જીવંત પ્રસારણ નો કાર્યક્રમ યોજાશે ૧ એપ્રિલ ના રોજ ૧૧ વાગે આ કાર્યક્રમ યોજાશે પરિક્ષા પે ચર્ચાની પ્રથમ આવૃત્તિ ૨૦૧૮ માં શરૂ કરવામાં આવી હતી જેને વિદ્યાર્થી સમુદાય દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો પરિક્ષા પે ચર્ચા એ ત્યારથી આયોજિત વાર્ષિક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ દરમિયાન માનનીય વડા પ્રધાન દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કરે છે અને વિદ્યાર્થીઓને મૂલ્યવાન સૂચન પણ આપે છે.
આ માનનીય વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલ એક નવીન ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ છે જેમાં દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પરીક્ષા સંબંધિત ચર્ચા કરવા અને તેને શ્રેષ્ઠ સ્તરે જીવનની ઉજવણી કરવા માટે તેમની સાથે વાર્તાલાપ અને વાતચીત કરે છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
ઈવેન્ટમાં ભાગ લેનારાઓની પસંદગી ઓનલાઈન આયોજિત સ્પર્ધા દ્વારા કરવામાં આવે છે અને સામાન્ય રીતે સ્પર્ધાના વિજેતાઓને ઈવેન્ટમાં આમંત્રિત કરવામાં આવે છે અને પસંદ કરાયેલા કેટલાક વિજેતાઓને ભારતના માનનીય પીએમ સાથે વાર્તાલાપ કરવાની અદ્ભુત તક મળે છે. આ કાર્યક્રમ ને લઇને આર.ઓ પુણે દ્વારા ધનસુરા નવોદય વિદ્યાલય ના પ્રિન્સિપાલ પ્રવિંદ ક્રિષ્નન ની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.