વડાપ્રધાન મહિન્દા પ્રદર્શનકારીઓથી બચવા નેવી બેઝમાં સંતાઈ ગયા

કોલંબો, શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે અને તેમનો સમગ્ર પરિવાર અત્યારે નેવીના બેઝમાં છુપાઈ ગયો છે. જ્યાં અત્યારે ભારે સૈન્યદળ પણ હાજર છે. આ પહેલા સોમવારે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓની ભીડે શ્રીલંકાના વડાપ્રધાનના મકાનને ઘેરી લીધું હતું અને તેની અંદર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા.
આ પ્રદર્શનકારીઓએ તે ઘરની બહાર ઊભેલી ગાડીઓને પણ સળગાવી દીધી હતી. આ પ્રદર્શનકારીઓને હટાવવા માટે સુરક્ષાકર્મીઓને પીએમના મકાનની અંદરથી ગોળીબાર કરવો પડ્યો હતો. મંગળવારે સવારે શ્રીલંકાની સેનાએ ભારે હથિયારો સાથે મહિન્દા રાજપક્ષેને તેમના ઘરમાંથી નીકાળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રીલંકામાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે મહિન્દા રાજપક્ષેને હેલિકોપ્ટરની મદદથી દેશના પૂર્વ વિસ્તારમાં બનાવાયેલા નેવી બેઝમાં લઈ જવાયા છે. જ્યાં હવે પ્રદર્શનકારીઓ પણ પહોંચી ગયા છે જે રાજધાની કોલંબોથી ૨૭૦ કિલોમીટર દૂર છે.
શ્રીલંકાની રાજપક્ષે સરકારે હજારોની સંખ્યામાં સૈનિકો અને પોલીસકર્મીઓને હાજર કર્યા છે અને કર્ફ્યુ લગાવી દીધો છે. મહિન્દા રાજપક્ષેએ રાજીનામુ આપ્યા બાદ ભડકેલી હિંસામાં અત્યાર સુધીમાં ૨૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ૫ લોકોના મોત થયા છે.
શ્રીલંકા અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શ્રીલંકામાં અત્યારે ગંભીર આર્થિક સંકટ જાેવા મળી રહ્યું છે અને વિરોધ પ્રદર્શન તેમજ સંઘર્ષ જાેવા મળી રહ્યો છે.
સોમવારે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યું. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની પણ માગ કરી રહ્યા છે. કોલંબોમાં સરકાર સમર્થક સમૂહ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ થતાં સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કોલંબોમાં સેનાના જવાનોને પણ હાજર રાખવામાં આવ્યા છે.
સોમવારે શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપી દીધું. અત્યારે શ્રીલંકા સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ સંકટ મુખ્યરીતે વિદેશી મુદ્રાની અછતના કારણે ઊભું થયું કે જેનો અર્થ છે કે દેશ મુખ્ય ખાદ્ય પદાર્થ અને ઈંધણની આયાત માટે ચૂકવણી નથી કરી શકતો.
શુક્રવારે એક કેબિનેટ મીટિંગ બાદ રાષ્ટ્રપતિ રાજપક્ષેએ દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી. શ્રીલંકામાં લગભગ ૧ મહિનામાં આ બીજી વખત ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે.SSS