વાત્રકના કિનારે સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે ભવ્ય પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો
ડાકોર, કાર્યક્રમની શરૂઆતમાં મંદિરના મહંત સંતોષગિરી મહારાજના મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત, તેમના સુપુત્ર સૌમિલ પુરોહિત તેમજ સમગ્ર પુરોહિત પરિવાર દ્વારા ચરણ ધોઈ તેમની પુજા-અર્ચના કરી શાલ ઓઢાડી ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ડો.ઘનશ્યામ સોઢા, હનીબેન પંચાલ (શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી), પોરસભાઈ પટેલ (ફર્સ્ટ કન્વીનર વિશ્વ ગુજરાતી સમાજ), કમલભાઈ રાવલ (ભગવાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ, શિક્ષા સમિતિ નેશનલ પ્રેસિડેન્ટ)
તેમજ મહેમદાવાદ ગામના કમલેશભાઈ પાંડવ, ભાવેશભાઈ રાવલ, વિપુલભાઈ મિસ્ત્રી, આશિષભાઈ તેમજ જયભાઈ સાથે અનેક ગ્રામજનો તેમજ તાલુકાના આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ શુભપ્રસંગે મંદિરના પ્રતિષ્ઠાથી લઈને અત્યાર સુધી જે જે લોકોએ મંદિરમાં સેવા તેમજ મદદરૂપ થયા હોય અને સારી કામગીરી કરી હોય તેવા લગભગ ૧૪૭ લોકોને નરેન્દ્રભાઈ પુરોહિત, સૌમિલ પુરોહિત અને મંદિરના મહંતના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ ટ્રોફી રૂપે એવોર્ડ,
પ્રસાદ તેમજ સંસ્કૃતિ સૌરભમ જેની અંદર વિશેષ જાણકારી સાથે ધાર્મિક પુસ્તિકા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી એવા નરેન્દ્રભાઈ પુરોહિત, મહંત સંતોષગિરી, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, તેમજ કમલભાઈ રાવલ, આ સૌ કોઈએ પ્રસંગને અનુરૂપ સુંદર વક્તવ્ય આપ્યું હતું.