વિદ્યાર્થી પરિષદના નેતાને સુપ્રીમ કોર્ટે ફરી જેલમાં ધકેલી દીધા
નવીદિલ્હી, મધ્યપ્રદેશમાં બળાત્કારના આરોપમાં ફસાયેલા એક વિદ્યાર્થી નેતા શુભાંગ ગોન્તીયાને સુપ્રીમ કોર્ટે જામીન રદ કરીને ફરી જેલમાં ધકેલી દેવા આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમન્નાએ જામીન પર છૂટેલા આ નેતાની હરકતો પર જબરો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
શુભાંગુ જામીન પર છુટ્યા બાદ તેમણે ભોપાલમાં પોતાના વિસ્તારમાં ‘ભૈયા ઇઝ બેક’ના સુત્રો સાથે ઠેર ઠેર પોસ્ટરો લગાવ્યા હતા અને પોતાનો રુઆબ દર્શાવવા પ્રયત્ન કર્યો હતો તથા બળાત્કાર પીડિતાના ફેમીલી સાથે પણ ધાકધમકી ચાલુ કરી દીધી હતી.
જેના પરથી ફરિયાદ પક્ષે સુપ્રિમને આ પોસ્ટર તથા અન્ય માહિતીઓ મોકલીને જામીન રદ કરવા માગણી કરતા સર્વોચ્ચ અદાલતે શુભાંગુને એક સપ્તાહમાં સરન્ડર થવા આદેશ આપ્યો છે અને હવે તેને ફરી જેલમાંથી છૂટકારો થશે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે.HS