વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી
વિશ્વપર્યાવરણ દિન નિમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હરિહર ધામ સ્ટાફ ક્વાટર ખાતે લીમડો, બોરસલી જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સ્ટાફ દ્વારા બે -બે વૃક્ષો દતક લઇ એ વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા.