વેકૈયા નાયડુના ટિ્વટર હેન્ડલ પરથી બ્લૂ ટિક હટાવાઈ

નાયડુનાં ટિ્વટર હેન્ડલને વેરિફાઇ કરાયું
નવી દિલ્હી: માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્વટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અંગત ટિ્વટર હેન્ડલ પરથી બ્લૂ ટિક હટાવી દીધી હતી પરંતુ થોડા સમયમાં ફરીથી વેરિફાઇ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિની કચેરીએ આ માહિતી આપી હતી. જાેકે, સંઘનાં પૂર્વ સરકાર્યવાહ ભૈયાજી જૌશી (સુરેશ જાેશી), પૂર્વ સરકાર્યવાહ સુરેશ સોની અને સર કાર્યવાહ અરુણ કુમારનાં એકાઉન્ટને ટિ્વટરે અનવેરિફાઇડ કરી દીધા છે. ખબર એ છે હતી કે, ઉપરાષ્ટ્રપતિના અંગત હેન્ડલમાંથી બ્લૂ ટિકને દૂર કરવાનું મોટું કારણ પ્લેટફોર્મ પરની તેમની નિષ્ક્રિયતા હતી. ઉપરાષ્ટ્રપતિ કાર્યાલયના એક અધિકારીએ કહ્યું કે, ‘વેંકૈયા નાયડુનું વ્યક્તિગત અકાઉન્ટ ૬ મહિનાથી નિષ્ક્રિય હતું અને હવે તેનું બ્લૂ ટિક હટાવી લેવાયું છે.’
આ અંગે ભારતીય જનતા પાર્ટી મુંબઇના પ્રવક્તા સુરેશ નખુઆએ ટિ્વટર પર એક અનેક સવાલો ઉઠાવ્યાં છે. તેમણે તેને ‘ભારતના બંધારણ પર હુમલો’ ગણાવ્યો છે. આપને જણાવી દઈએ કે, નવા આઈટી નિયમોને લઈને ટિ્વટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
આવી સ્થિતિમાં, આ નવીનતમ મામલો વિવાદને વધુ વધારી શકે છે. ટિ્વટરને ટાંકીને જણાવ્યું છે કે, કંપની કોઈપણ સમયે કોઈ સૂચના લીધા વિના ટિ્વટર એકાઉન્ટની બ્લૂ વેરિફાઇડ બેજ અને વેરિફાઇડ સ્ટેટસને દૂર કરી શકે છે. ટિ્વટર અનુસાર, બ્લૂ વેરિફાઇડ બેજ એટલે કે એકાઉન્ટ લોકોના હિતનું છે અને અસલી છે. ખાસ વાત એ છે કે, આ ટિક મેળવવા માટે, ટિ્વટર એકાઉન્ટ સક્રિય અને અસલ હોવું જાેઈએ. નોંધનીય છે
ફેસબુકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું છે. ફેસબુકનો આ ર્નિણય ૭ જાન્યુઆરી ૨૦૨૧થી અસરકારક માનવામાં આવશે. આ પહેલા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્વટરે પણ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું. ટિ્વટર અને ફેસબુક બંને અમેરિકન કંપની છે. ૬ જાન્યુઆરીએ વોશિંગ્ટનમાં સંસદ સંકુલ પર હિંસા ભડકાવવા બદલ ફેસબુકે ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટને ચાર મહિના પહેલા સ્થગિત કરી દીધું હતું. ટ્રમ્પ પર માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટર પર કાયમી પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે.