શિયાળામાં દિલ્હી-NCR ફરી ગેસ ચેમ્બરમાં ફેરવાશે
નવી દિલ્હી, દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળો આવતાની સાથે જ દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જશે તે નિશ્ચિત છે. પંજાબ, હરિયાણામાં ખેડૂતો દ્વારા પરાળી સળગાવવાની તસવીરો હવે નાસાના સેટલાઈટમાં પણ કેપ્ચર થવા માંડી છે.
નાસાની સેટેલાઈટ ઈમેજમાં દેખાતા લાલ ટપકા ઈશારો કરી રહ્યા છે કે, ગયા વર્ષ કરતા પણ આ વર્ષે રાજધાનીની સ્થિતિ વધારે બગડી શકે છે. જાણકારો ચેતવણી આપી રહ્યા છે કે, આ વર્ષે ઉત્તર ભારતના ખેતરોમાં લગાવાતી આગ અન્ય વર્ષો કરતા વધારે તિવ્ર હોય તેવી શક્યતા છે. કારણકે આ વર્ષે ચોમાસાની વાપસીમાં પણ મોડુ થયુ છે અને તેના કારણે રાજધાનીની હવા વધારે પ્રદુષિત થઈ શકે છે.
નાસાના મેપ દર્શાવી રહ્યા છે કે, અત્યારથી જ ખેતરોમાં પરાળી સળગાવવાનુ શરૂ કરી દેવાયુ છે. આ મેપમાં દર્શાવ્યા પ્રમાણે મોટાભાગની આગ અમૃતસર, જલંધર, લુધીયાણા, ચંદીગઢ અને ફરીદાબાદ જેવા જિલ્લાઓમાં કેન્દ્રીત હતી. પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ પરાળી સળગાવવાનુ શરૂ કરી દેવાયુ છે.SSS