શિવરાત્રીએ સોમનાથમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો
આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્ય ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો, કોરોના મહામારી બાદ સુખાકારી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તોથી સોમનાથ નગરના માર્ગ શોભાયમાન થયા.
સવારે મહાદેવને પારંપરિક પાઘનો શૃંગાર કરવામાં આવેલ સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહેલી, મહાદેવ સ્વયં જ્યારે નગરચર્યા એ નિકળ્યા હોય, ત્યારે માર્ગમાં ભક્તો પૂષ્પોથી સ્વાગત સાથે હર હર મહાદેવ અને બમ બમ ભોલેનો નાદ કરી રહ્યા હતા. સવારે ૪-૦૦ થી સવારના ૧૦ સુધીમાં ૧૫૦૦૦ થી વધુ ભક્તોએ દર્શન-પૂજા કરી ધન્ય બન્યા હતા.