સંઘપ્રદેશના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી
દમણ, ભારત સરકાર દ્વારા IPS અને IAS અધિકારીઓની બદલી ક૨વામાં આવી છે. જેમાં દમણ અને સેલવાસના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર દાદરા નગર હવેલીમાં કાર્યરત જિલ્લા કલેક્ટર રાકેશ મિન્હાસ અને સલોની રાયની લક્ષદ્વીપમાં બદલી કરવામાં આવી છે.
લક્ષદ્વીપમાં કાર્યરત એ જ જિલ્લા કલેક્ટર અસ્કર અલીની દાનહ અને દમણ દીવમાં બદલી કરવામાં આવી છે. દા.ન.હ અને દમણ-દીવ ડીઆઈજી વિક્રમજીત સિંહની દિલ્હી બદલી કરવામાં આવી છે. તેમની સાથે પોલીસ અધિક્ષક વીએસ હરેશ્વરની લક્ષદ્વીપમાં બદલી કરવામાં આવી છે. દિલ્હીથી રાજેન્દ્ર મીણા અને પુડુચેરીના ડમ્બે મિલિંદની દા.ન.હ અને દમણ-દીવમાં બદલી કરવામાં આવી છે.