સઇદના ઘર નજીક બોમ્બ વિસ્ફોટમાં ભારતનો હાથ હોવાના આરોપ પાયાવિહોણા
નવીદિલ્હી: ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આક્રમણ કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ દાવાને સ્પષ્ટપણે નકારી દીધો છે કે, મુંબઇ આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદના લાહોર ઘર નજીક બોમ્બ વિસ્ફોટમાં ભારતનો હાથ હતો. ભારતે તેને પડોશી દેશનો પાયાવિહોણા દુપ્રચાર ગણાવ્યો હતો. તેણે પાકિસ્તાને તેની ધરતીથી ફેલાતા આતંકવાદ સામે “વિશ્વસનીય અને ચકાસી શકાય તેવું” પગલાં લેવાની સલાહ પણ આપી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે આ વાત કહી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગચીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કહ્યું હતું કે, ‘પાકિસ્તાન માટે ભારત વિરુદ્ધ’ પાયાવિહોણા પ્રચાર’માં સામેલ થવું કોઈ નવી વાત નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાને તેના મકાનની મરામત માટે પ્રયાસ કરવો જાેઇએ. આવા તત્વોને આશરો મળે ત્યાં તેની ધરતીમાંથી નીકળેલા આતંકવાદ સામે વિશ્વસનીય અને ચકાસી શકાય તેવા પગલા લેવા જાેઈએ.આતંકવાદની વાત આવે ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનની વિશ્વસનીયતાથી સારી રીતે જાગૃત છે. સઇદ ૨૦૦૮ ના મુંબઇ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ છે અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના વડા છે.
પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે કહ્યું હતું કે ‘ફોરેન્સિક રિપોર્ટ્સ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા અમે તેના મુખ્ય કાવતરાખોરને ઓળખી કાઢયા છે અને અમને એ કહેવામાં કોઈ શંકા નથી કે મુખ્ય કાવતરાખોર રો સાથે સંબંધિત છે.૨૩ જૂને લાહોરના જૌહર વિસ્તારમાં આવેલી રેવન્યુ હાઉસિંગ સોસાયટીના બોર્ડ ઓફ રેવન્યુ હાઉસિંગ સોસાયટીમાં સઈદના ઘરની બહાર કાર બોમ્બ ફૂટ્યો ત્યારે ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૨૪ લોકો ઘાયલ થયા હતા.