Western Times News

Gujarati News

સગર્ભા,ધાત્રી માતાઓને કોવિડ સિવાયનું કામ સોંપાશે

Files Photo

સગર્ભા, ધાત્રી સ્ત્રીઓની કાળજી લેવા અને આગમચેતી રૂપ પગલાં લેવા અંગે રાજય સરકારનો મહત્વનો ર્નિણય
અમદાવાદ, રાજયમા પ્રવર્તી રહેલ કોરોના વાયરસ કોિંવડ – ૧૯ ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ -૧૮૯૭ અન્વયે રાજયમાં ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન- ૨૦૨૦ અમલમા છે.કોરોનાની કામગરી માટે જજૂમી રહેલી મહિલા કોરોના વોરિયર્સ માટે રાજય સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે તદઅનુસાર સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ વોર્ડ સિવાયની કામગીરી સોપાશે એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કેન્દ્ર સરકાર ધ્વારા કોવિડ-૧૯ ની ગાઈડલાઈન મુજબ આરોગ્ય કર્મીઓને અનુસરવાની બાબતના સબ – પેરા માં જે સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યેકર્મીઓ તેઓની સ્વાસ્થય વિષયક જાણકારી હોસ્પિટલ ઓથોરિટીને કર્યા બાદ આવી સગર્ભા તથા સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓને કોવિડની કામગીરી સિવાયની કામગીરી આપવા સુચન કરાયુ છે.જેને ધ્યાને લેતાં સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થય તથા ધાત્રી માતાઓ તથા તેઓના નવજાત શીશુની સ્વાસ્થય સંબંધીત કાળજી લેવા અંગે આગમચેતી રૂપ પગલાં લેવા અંગે રાજય સરકારે આ મહત્વનો ર્નિણય કર્યો છે.

આ પરિપ્રેક્ષ્યમાં કોવિડ હોસ્પિટલોમાં કામગીરી બજાવતી અને સગર્ભા / ધાત્રી માતાઓને કોરોના સંક્રમિત દર્દીઓના સીધા સંપર્કમાં ન આવવું પડે તે હેતુથી તથા સગર્ભા માતા અને તેના ગર્ભસ્થ શીશુનું સ્વાસ્થય જળવાય તેમજ ધાત્રી માતાઓ થકી નાના બાળકોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી દરેક ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલે ડેડીકેટેડ કોવીડ હેલ્થ કેર સેન્ટર કોવીડ કેર સેન્ટરના પ્રશાશને સગર્ભા માતાઓ / સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓને કોવિડ- વોર્ડ સિવાયની કામગીરી સોંપવાની વ્યવસ્થા કરવાની રહેશે એમ વધુમાં જણાવાયુ છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.