સરકારી ઓફિસમાં ભગતસિંહ-બાબાસાહેબના ફોટા લગાવવા જાેઈએ, CMના નહી

નવી દિલ્હી, રાજ્યમાં આટલી મોટી જીત પર આપના સીએમ ઉમેદવાર ભગવંત માને વિજય ભાષણ આપ્યું છે. આ દરમિયાન ભગવંત માન સાથે તેમની માતા અને બહેન પણ હાજર હતા. લોકોને સંબોધતા ભગવંત માને કહ્યું કે પંજાબીઓનો ખૂબ ખૂબ આભાર, દુનિયાભરના લોકોનો પણ આભાર, જેઓ આવી ન શક્યા પણ કોઈને કોઈ પ્રકારે મદદ કરી છે. #BhagwantMann
on Becoming our New Chief minister – will be taking oath at Sardar Bhagat Singh’s village Khatkarkalan,
ભગવંત માને કહ્યું કે તેઓ પંજાબના મુખ્યમંત્રી તરીકે રાજભવનમાં નહીં પરંતુ ભગત સિંહના મૂળ ગામ ખટકડકલામાં શપથ લેશે. આ પહેલાં ઝ્રસ્ના શપથ રાજભવનમાં જ યોજાયા છે. સીએમ બન્યા પછી હું પહેલો ર્નિણય એ લઈશ કે કોઈ પણ સરકારી ઓફિસમાં ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરના ફોટા લગાવવા જાેઈએ, સીએમના નહીં.
તેણે કુ પોસ્ટમાં જણાવ્યું કે, તે તેના વતન ગામ સતોજ જશે અને આશીર્વાદ લેશે. પંજાબમાં જીત પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ઈન્કિલાબ આવ્યુ છે અને આજે મોટી ખુરશીઓ હચમચી ગઈ છે. જે દિગ્ગજ નામો હતાં તેમણે આજે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. અમે પ્રામાણિક રાજકારણ શરૂ કર્યું અને આખી સિસ્ટમ બદલી નાખી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે બાળકોને ભણાવવાનું કામ કર્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તમામ પાર્ટીઓએ અમારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું, જ્યારે તેઓ સફળ ન થયા તો તેમણે કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા હતા. આજે દેશની જનતાએ કહ્યું છે કે, કેજરીવાલ આતંકવાદી નથી પરંતુ, દેશના સાચા સપૂત છે. અમે એક એવા ભારતનું નિર્માણ કરીશું જ્યાં દરેકના બાળકોને શિક્ષણ મળશે.