સરકાર ક્રિપ્ટોકરન્સી પર જલ્દી લાવશે બિલઃ નાણાંમંત્રી

નવીદિલ્હી, નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે આજે સંસદમાં કહ્યું છે કે, ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની ચિંતા વચ્ચે સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરવા જઈ રહી છે. નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી અંગેના નિયમન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
સોમવારે લોકસભામાં નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે પોતાના જવાબમાં કહ્યું હતું કે, બિટકોઈનને મુદ્રા તરીકે માન્યતા આપવાનો કોઈ જ પ્રસ્તાવ નથી. આ સાથે જ મંત્રાલયે એમ પણ જણાવ્યું કે, સરકાર બિટકોઈન લેવડ-દેવડ પર કોઈ ડેટા એકત્ર નથી કરતી.
રાજ્યસભામાં આજે પ્રશ્નકાળ દરમિયાન ર્નિમલા સીતારમણે કહ્યું કે, આ એક જાેખમી ક્ષેત્ર છે અને સમગ્ર નિયમનકારી માળખામાં નથી. તેમણે વધુમાં કહ્યું કે, તેની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાનો કોઈ ર્નિણય હજી લેવામાં આવ્યો નથી.
આરબીઆઈ અને સેબી દ્વારા જાગૃતિ ફેલાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે, નાણામંત્રીએ માહિતી આપી હતી કે, સરકાર ટૂંક સમયમાં બિલ રજૂ કરશે.ક્રિપ્ટોની જાહેરાતો પર ર્નિમલા સિતારમણે કહ્યું કે, છજીઝ્રૈં છે, જે જાહેરાતોને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે, તેના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે સંસદમાં કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ કેબિનેટમાંથી બિલ પાસ કરાવીને બિલ લાવશે.
નોંધનીય છે કે, સંસદના શિયાળુ સત્રનો આજે (મંગળવારે) બીજાે દિવસ છે. પરંતુ સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાની સાથે જ વિપક્ષને મોટો ઝટકો લાગ્યો હતો.
હંગામા માટે રાજ્યસભાના ૧૨ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે વિપક્ષી પાર્ટીઓએ આ અંગે પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. જાે કે, એવા પણ સમાચાર છે કે જાે સસ્પેન્ડેડ સાંસદો માફી માંગે તો મામલો થાળે પાડવાનો હજુ અવકાશ છે. પરંતુ વિપક્ષ આ મુદ્દે એકજૂટ નથી. કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ પર કોંગ્રેસ અને ટીએમસી એકમત નથી.HS