સરાડીયા ગામે નવદુર્ગામાના નવીન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વિરપુર તાલુકાના સરાડીયા ગામ સમસ્ત કાગળીમા અને નવદુગાર્ામાની નવીન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ૨૦૦ યજમાનની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી અને આ પ્રસંગે મહિસાગર જીલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી
અને માતાજીના જયઘોસ અને મંત્રોચાર વચ્ચે અને વિજય મહુર્તે માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી સરાડીયા ખાતે માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ચાર દિવસથી ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી ગામના યુવાનો વડીલો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
પૂર્ણાહૂતિ પ્રસંગે તથા દુર્ગાષ્ટમી પ્રસંગે માતાજીના હવનમાં સરાડીયા ખાતે પંચમહાલના સાંસદ રતનસિંહજી રાઠોડ મહીસાગર, ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, જીલ્લા પંચાયત સદસ્ય પિનાકીન શુક્લ એ માતાજીના દર્શન કરી આશિર્વાદ લીધા આ પ્રસંગે વિરપુર તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનીધી અર્જનસિંહજી સોલંકી,
તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ નાનસિંહભાઇ સોલંકી,વિરપુર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન પ્રદીપભાઇ શેઠ,મહીસાગર જીલ્લા ભાજપ મહીલા મોરચા ના પ્રમુખ નિહાબેન સોની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો.*