Western Times News

Gujarati News

સરીગામ ખાતે રાહદારીઓ માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે કોરોના જેવા મહામારી રોગના સમયે માનવતાની મહેક દાખવીને આ સંસ્થા દ્વારા ૧૨૪ જેટલા રાહદારીને સરકારશ્રી ના આદેશ મુજબ શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેકટર સાહેબ , મામલતદાર, આઇ જી સાહેબ , એસ પી સાહેબ અને ડી વાય એસ પી સાહેબ વલસાડ જિલ્લા દ્વારા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરવા માં આવ્યું. જિલ્લાની મેડિકલ ટીમ દ્વારા આ લોકોની સ્વાસ્થ્યની ચકાસણી કરી રિપોર્ટ બનાવી ઉપરી અધિકારીઓને જમાં કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા આ લક્ષ્મી વિદ્યાપીઠ સંસ્થા અને તેમાં સ્ટાફ ક્વાટર ને પણ ફોગિંગ અને સેનેટાઈજ કરવાની વ્યવસ્થા કરવા માં આવી. (તસ્વીર – અશોક જોષી, વલસાડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.