સાઠંબામાં શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવ યોજાયો
(પ્રતિનિધિ) બાયડ, અનુપમ મિશન , બ્રહ્મજ્યોતિ ના અધિસ્થાતા સંતભગવંત સાહેબજી મહારાજ ની પ્રેરણા અને આશીર્વાદ થી અનુપમ મિશન ,બ્રહ્મજ્યોતિ , મોગરી ,આણંદ ખાતે નુતન શિખરબદ્ધ મંદિર ના નિર્માણ થયું એની તેમાં જાન્યુઆરી ૨૦૨૦ માં ભવ્યાતિભવ્ય રીતે
શ્રી મુક્તાક્ષાર પુરષોત્તમ મહારાજ ની આરસ ની મૂર્તિ તથા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુદેવ યોગીજીમહારાજ ની સુવર્ણમંદિત મૂર્તિ તથા પ્રભુ ના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપો ની મૂર્તિ ઓ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને હવે આવી રહેલ જાન્યુઆરી ૨૦૨૦ માં તેની કળશ વિધિ થશે.
તે નિમિત્તે અનુપમ મિશન પ્રેરતી શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર – સાઠંબા ખાતે ભક્તિ અદા કરવા માટે આ વખતે …હિંડોળા મહોત્સવ માં .મંદિર કળશ હિંડોર બનાવી ને તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ને બિરાજમાન કરાયા છે. અને ભક્તિ અર્પણ કરવામાં આવી છે.