Western Times News

Gujarati News

સામાખ્યાલી રેલવે સ્ટેશન: એક નવો પ્રવેશદ્વાર

ગુજરાત ના કચ્છ જિલ્લા ના મધ્ય માં સ્થિતસામાખ્યાલી જંકશન લાંબા સમય થી આ ક્ષેત્ર વાણિજ્યસંસ્કૃતિ અને સંપર્ક ના વચ્ચે એક સ્થાયી કડી માટે એક  મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર ના રૂપે કાર્ય કરે છે –1950 ના દાયકામાં કચ્છ રાજ્ય રેલવે ના વિસ્તરણ દરમિયાન સ્થાપિતઆ સ્ટેશનને મૂળરૂપે ક્ષેત્ર મા વ્યાપાર  અને કૃષિને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું હતું.

દાયકાઓથીતે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન માં એક મહત્વપૂર્ણ જંકશન ના રૂપે વિકસિત થયું છેજે મુખ્ય રૂપે  મુસાફરો અને ગુડ્સ બંને નું સંચાલન કરે છે. તેને એનએસજી-શ્રેણી ના સ્ટેશન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છેજેમાં પાંચ પ્લેટફોર્મ, 48 સ્ટોપિંગ ટ્રેનો અને લગભગ 700-1000 મુસાફરોની દૈનિક અવરજવર છે.

મુસાફરો ના અનુભવ ને બહેતર બનવવા અને ક્ષેત્રીય નોડ્સ પર વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટક્ચર લાવવા માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સામાખ્યાલી જંક્શન  એક ઉલ્લેખનીય પરિવર્તન માંથી પસાર થઈ રહ્યું છે. 13.64 કરોડ રૂપિયાના વિકાસલક્ષી રોકાણ સાથેઆ પહેલે આધુનિક સુવિધાઓવિચારશીલ ડિઝાઇન અને ટકાઉ ઉકેલોની એક લહેરની શરૂઆત કરી છે – આ બધાનો હેતુ સ્થાનિક સાંસ્કૃતિક સારને દર્શાવીને કાર્યક્ષમતા વધારવાનો છે.

અપગ્રેડેશનમાં હવામાનની ખરાબ પરિસ્થિતિ થી મુસાફરોને બચાવવા માટે પ્લેટફોર્મ કવર શેડનું નિર્માણપ્લેટફોર્મ કનેક્ટિવિટી માં સુધાર માટે હાલના ફૂટ ઓવરબ્રિજનો વિસ્તાર અને દિવ્યાંગજનો ની પહોંચ સુનિશ્ચિત કરવા માટે લિફ્ટની વ્યવસ્થા સામેલ છે. 

તેના સમાવેશી એપ્રોચ ને અનુરૂપસ્ટેશનમા હવે માર્ગદર્શક અને ચેતવણી આપતી ટાઇલ્સરેમ્પહૈંડરેલ  અને દિવ્યાંગજનો ને અનુકૂળ  શૌચાલયો છેજેના થી તે  બધા માટે આવાગમન યોગ્ય બની ગયું છે.

વાસ્તુકલા ના આ નવા સ્વરૂપ માં  મડ આર્ટ ના  તત્વ સામેલ કરવામાં આવ્યા છેજે સ્ટેશનની આધુનિક સંરચના ની અંદર ક્ષેત્ર ની કલાત્મક પરંપરાઓની ઉજવણી કરે છે. સમકાલીન સૌંદર્ય શાસ્ત્ર સાથેનો એક નવો પ્રવેશદ્વાર મુસાફરોનું સ્વાગત કરે છેજ્યારે આગળના ભાગમાં થયેલા સુધારાઓ સામાખ્યાલી ની વધતી જતી પ્રસિદ્ધિને પ્રતિબિંબિત કરે છે. મુસાફરોની સુવિધા માટેમોડ્યુલર શૌચાલયબહેતર  સાઇનેજ અને ફૂડ પ્લાઝા ઉમેરવામાં આવ્યા છેજેનાથી  સ્ટેશન  એક વધુ આકર્ષક સાર્વજનિક સ્થાન માં પરિવર્તિત થયું છે.

વધારાના વિકાસમાં સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણતમામ પ્રકારના વાહનો માટે પાર્કિંગ સુવિધાઓ નું નવીનીકરણ અને મુસાફરો અને વાહનોની અવરજવરને સરળ બનાવતા એક એલિવેટેડ ટ્રાન્ઝિટ એરિયાનું નિર્માણ શામેલ છે. આ બધા સુધારાઓ સાથેસામાખ્યાલી માત્ર એક ટ્રાન્ઝિટ પોઇન્ટ તરીકે જ નહીં પરંતુ પ્રગતિસુવિધા અને પ્રાદેશિક ગૌરવના પ્રતીક તરીકે સ્થાપિત થયું છે.

પહેલેથી જ કરવામાં આવેલા  દરેક અપગ્રેડેશન  ની સાથેસામાખ્યાલી રેલવે સ્ટેશન તેના ગૌરવશાળી અતીત ને એક દૂરદર્શી ભવિષ્ય ની સાથે જોડીને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને કચ્છ ના પ્રમુખ રેલવે કેન્દ્ર ના રૂપે તેનું સ્થાન પુનઃસ્થાપિત કરી રહ્યું છે.  


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.