Western Times News

Gujarati News

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 95% જેટલું પાણી પુન:ઉપયોગમાં પણ લઈ શકાશે

સ્વદેશી માઈક્રો પ્રોસેસીંગ ચેલેન્જમાં GTU ઈન્ક્યુબેટર્સના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટે ટોપ-૧૦ માં સ્થાન પ્રાપ્ત કર્યું

ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં રાસાયણીક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળશે અને 95% જેટલું પાણી પુન:ઉપયોગમાં પણ લઈ શકાય છે:કુલપતિ , જીટીયુ

મીનીસ્ટ્રીઝ ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી આયોજીત સ્પર્ધામાં ૬૧૬૯ ટીમમાંથી 6ઠ્ઠા નંબરે સ્થાન પ્રાપ્ત કરનાર ગુજરાતની એકમાત્ર ટીમ

આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળે અને સ્વદેશી ટેક્નોલોજી થકી વિવિધ સમસ્યાનું સમાધાન થાય તે હેતુસર, તાજેતરમાં મીનીસ્ટ્રીઝ ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી દ્વારા સ્વદેશી માઈક્રો પ્રોસેસીંગ ચેલેન્જ યોજવામાં હતી.

જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત અટલ ઈનોવેશન સંકુલના (એઆઈસી) ઈન્ક્યુબેટર્સ રુદ્રી પંડ્યા અને કવન ધમસાનિયા દ્વારા નિર્મિત IOT આધારીત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટે ૬૧૬૯ ટીમમાંથી ટોપ-૧૦માં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગ્લોબલ વોર્મિંગ એ સમગ્ર વિશ્વની પડકાર જનક સમસ્યા છે.

વર્તમાન સમયમાં ભારત જેવા વિકાસશીલ દેશમાં ઔદ્યોગીક એકમ અને ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં વિવિધ પ્રકારના ધન , પ્રવાહી અને રાસાયણીક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તેમાં વપરાયેલ પાણીનો પણ પુન:ઉપયોગ શક્ય બને તે માટે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મહત્વનો ભાગ ભજવે છે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં રાસાયણીક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળશે અને 95% જેટલું પાણી પુન:ઉપયોગમાં લઈ શકાય છે.

આઈઆઈટી મદ્રાસ અને મીનીસ્ટ્રીઝ ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ સ્પર્ધામાં કુલ ૬૧૬૯ ટીમોએ ભારતભરમાંથી ભાગ લિધો હતો.

જીટીયુ એઆઈસીના ઈન્ક્યુબેટર્સ દ્વારા નિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને આ સ્પર્ધામાં છઠ્ઠ સ્થાન પ્રાપ્ત થયું છે. આ ચેલેન્જમાં ટોપ-૧૦માં સ્થાન પ્રાપ્ત કરનાર જીટીયુ રાજ્યની એકમાત્ર ટીમ છે.

આ સંદર્ભે રૂદ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા નક્કી કરાયેલ ધરાધોરણે પ્રમાણે દરેક ઔદ્યોગીક યુનિટમાંથી નિકળતાં ધન- પ્રવાહી રાસાયણીક કચરામાં રહેલ બાયોલોજીકલ ઑક્સિજન ડિમાન્ડ (BOD) અને કેમિકલ ઑક્સિજન ડિમાન્ડની (COD) માત્રા અનુક્રમે ૧૦ અને ૫૦ મીલીગ્રામ પ્રતિ લિટર સુનિશ્ચિત કરવામાં આવેલી છે.

આમારા દ્વારા  નિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જો ૩૫૦ mg/l BOD અને ૫૫૦mg/l COD ઈનપુટ કરવામાં આવે તો, CPCB ધરાધોરણ પ્રમાણે જ COD ૨૫ mg/l અને  BOD ૧૦ mg/l આઉટપુટમાં મળશે. જેનાથી ઔદ્યોગીક એકમોમાંથી છોડવામાં આવતાં પ્રવાહીમાં  CODમાં મળતાં હાઈડ્રોકાર્બન , યુરીયા , આલ્કોહોલ અને BODમાં વધતાં બેક્ટેરીયા વગેરેનું યોગ્ય પ્રમાણમાં જ નિકાલ થશે.

આ ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર થયેલ ૯૫% પાણીનો પુન: ઉપયોગ બાગ-બગીચા તેમજ પીવા સિવાય તમામ પ્રકારના કાર્યોમાં કરી શકાય છે. પ્લાન્ટના દરેક નોડની આઉટ લાઈન પર IOT બેઝ્ડ્સ વોટર સેન્સર્સ પણ લગાવવામાં આવેલ છે.

જેનાથી સુએજ લાઈનમાં જો કોઈ પણ જગ્યાએ બ્લૉકેજ હોય તો પણ તેને જાણીને દૂર કરી શકાય છે. મશીન લર્નિંગનો ઉપયોગ થયેલ હોવાથી પ્લાન્ટનું સંચાલન સત્વરે અને આર્થિક રીતે પરવડે તે રીતે કરી શકાશે. આ ઉપરાંત ડિજીટલ ઉપકરણથી પણ તેનું સંચાલન કરવા માટે જે –તે સ્થળ પર હાજર રહેવું આવશ્યક નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.