સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ કહેર,૧૦ જજ, ૪૦૦થી વધુ કર્મચારીઓ સંક્રમિત!
નવીદિલ્હી, દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ૧૦ જજ અને ૪૦૦ થી વધારે કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે.જેના કારણે આજે સુપ્રીમ કોર્ટની ત્રણ કોર્ટે આજે સુનાવણી કરી ન હતી.
દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં પાછો વધારો જાેવા મળી રહ્યો છે. સોમવારે કેસોમાં થોડોક ઘટાડો નોંધાયો હતો, પરંતુ મંગળવારે ફરીથી ઉછાળો આવતા ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.૮૨ લાખથી પણ વધુ નવા કેસો સામે આવ્યા છે.
સોમવારની તુલનામાં આ ૧૯ ટકા વધારે છે, એક વાત એ પણ છે કે સોમવારો જે ૩૦ રાજ્યોમાં કોરોનાના કેસો ઓછા થયા હતા, તે તમામ રાજ્યોમાં મંગળવારે ફરીથી વધી ગયા છે. એકલા કર્ણાટકમાં જ ૧૪ હજાર ૩૦૦થી પણ વધુ કેસો સામે આવ્યા છે. જ્યાં મગળવાકે ૪૧,૪૫૭ કેસો સામે આવતા છેક કેન્દ્ર સુધી હડકંપ મચ્યો છે.
સુપ્રીમ કોર્ટના ૩૨ ન્યાયાધીશો પૈકી ૧૦ અને ૩૦૦૦ કર્મચારીઓ પૈકી ૪૦૦ સંક્રમિત થયા છે.કોર્ટે ૨ જાન્યુઆરીથી જ વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઓનલાઈન સુનાવણી કરવાનુ નક્કી કર્યુ હતુ. બીજી તરફ ભારતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે.છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૨.૮૨ લાખ કોરોના કેસ સામે આવી ચુકયા છે અને મરનારાઓની સંખ્યા વધીને ૪.૮૭ લાખને પાર કરી ગઈ છે.HS