Western Times News

Gujarati News

સુરતના હીરાબાગ સર્કલ પાસેથી આધેડની લાશ મળી, હત્યાની આશંકા

સુરત, સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે અને તેમાં પણ સતત થતી હત્યાની ઘટનાને લઈ સુરતમાં લોકોમાં એક ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે આજે વરાછા વિસ્તારના હીરાબાગ સર્કલ ડિવાઈડર જાળીમાંથી એક આધેડની દુર્ગુઘ મારતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

જાેકે આ આધેડની હત્યા કરવામાં આવી હોય તેવા અનુમાન લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં ગુનાખોરી સતત વધી રહી છે જેમાં પણ ચોરી લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સતત વધી રહી છે. સુરત પોલીસ ગુનાખોરી ડામવા માટે નિષ્ફળ ગઈ છે દોસ્ત બહાર પડેલી એક હત્યાની ઘટના સામે આવતી હોય છે.

ત્યારે આજરોજ પણ વધુ એક ઘટના સામે આવી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હીરાબાગ સર્કલ નજીક ડિવાઈડર પાસેની ઝાડીમાંથી અસહ્ય પ્રમાણમાં દુર્ગંધ મારતા અનેક લોકોએ વરાછા પોલીસને જાણકારી આપી હતી. જાેકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે તપાસ શરૂ કરી હતી.

ઝાડીમાંથી એક આધેડ ઉંમરના વ્યક્તિની કોહાવાયેલી ગયેલી લાશ મળી આવી હતી જેને લઇ પોલીસે તપાસ શરૂ કરી હતી. જાેકે આધેડવ્યક્તિની હત્યા કરવામાં આવી છે કે પછી આત્મહત્યા તે મામલાને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.