સૂફીસંત શિરાજીશાહ પીર દરગાહના ખાદીમ ઇબ્રાહીમશાહ બાપુનું અવસાન
(પ્રતિનિધિ) માણાવદર, ગુજરાતના સુપ્રસિધ્ધ સૂફી સંત શિરાઝીશાહ પીર દરગાહના ખાદીમ ખલીફા ઈબ્રાહીમશાહ બાપુ સોહરાવર્દી નું અવસાન થતાં સમસ્ત સોરઠ પંથકમાં શોક નું મોજું ફરી વળ્યુ છે. જૂનાગઢ ની બાજુમાં આવેલ ધણફુલિયા ગામે કોમી એકતા ના પ્રતીક સમી દરગાહ ના મુંજાવર નું અવસાન થતાં દફનવિધિમાં હજજારો અનુયાયી ઉમટી પડ્યા હતા.
સમગ્ર સૌરાષ્ટ્ર માં કોમી એકતાની જ્યોત જલાવી ભાઈચારાનો સંદેશ ફેલવનાર સોરઠના શહેનશાહ એવા શિરાઝીશાહ પીર દરગાહના ખાદીમ ખલીફા ઈબ્રાહીમશાહ બાપુ સોહરાવર્દીનું અવસાન થતાં સમસ્ત સોરઠ પંથકમાં શોક નું મોજું ફરી વળ્યુ છે. ધણફુલિયા ગામ ખાતે રાત્રે દરગાહના પટાંગણમાં યોજાયેલ દફનવિધિ કાર્યક્રમ પહેલાં અનુયાયી ઓ એ અંતિમ દીદાર કર્યા હતા તેમજ જનાઝા ની નમાઝમાં હજારો લોકો એ હાજરી આપી હતી.
ધણફુલિયા દરગાહના ગાદી નશીન ખલિફા ઈબ્રાહીમશાહ બાપુ સોહરાવર્દી બાપુના અવસાન ના સમાચાર મળતાજ જનાજા માં સમગ્ર સૌરાષ્ટ્રના અનુયાયીઓ ધણફુલીયા ગામ પહોચી ગયા હતા અને સૌરાષ્ટ્રના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ તેમજ સંધિ મુસ્લિમ સમાજ ના આગેવાનો અને ગ્રામજનો એ અંતિમ વિધિમાં હાજરી આપી હતી.
સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજ ના પ્રમુખ ઈરફાનશાહ સોહરાવર્દી, કમાલશા સોહરાવર્દી, ઐયુબશા સોહરાવર્દી અને સંધિ મુસ્લિમ સમાજના પ્રમુખ કાળાભાઈ મુસાભાઈ, રજાકભાઈ હુસેનભાઇ હાલા, ડો. ડોલકિયા, ઇસ્માઇલભાઇ દલ વગેરે સમાજના અગ્રણીઓ ખલિફા ઈબ્રાહીમશાહ બાપુ સોહરાવર્દીની સમાજ સેવાઓને બિરદાવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.*